જિલ્લામાં 9 ગ્રામ પંચાયતમાં માત્ર સરપંચની જ પેટા ચૂંટણી
- 21 ફેબુ્રઆરી સુધીમાં ખાલી પડેલ બેઠકો માટે પ્રક્રિયા
- સરપંચની બેઠકની ચૂંટણી યોજાતી હોય તેવા મહુવા તાલુકાના 4, પાલિતાણા તાલુકાના ૨ અને ઘોઘા-ગારિયાધાર, તળાજાના 1-1-1 ગામ
ભાવનગર : ભાવનગર જિલ્લામાં ૯ ગ્રામ પંચાયત એવી છે જ્યાં ફક્ત સરપંચની બેઠક ખાલી પડી હોવાથી ત્યાં માત્ર સરપંચની પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
આ અંગેની વિશ્વસનીય વર્તુળો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈ મુજબ ૨૧ ફેબુ્રઆરી, ૨૦૨૫ સુધીમાં જે ગ્રામ પંચાયતમાં ખાલી પડેલ સરપંચની બેઠક માટે પેટા ચૂંટણી યોજવા પાત્ર ગ્રામ પંચાયતોમાં ૯ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. જેમાં ઘોઘા તાલુકામાં સાણોદર ગામે, ગારિયાધાર તાલુકામાં માંડવી ગામે, પાલિતાણા તાલુકામાં મોતીશ્રી અને આદપુર ગામે, તળાજા તાલુકામાં પાદરી (ભં) ગામે, મહુવા તાલુકામાં નૈપ, જાંબુડા, ચારદિકા અને ભૂતેશ્વર પરા ગામે માત્ર સરપંચની બેઠકમાં માટે ચૂંટણી યોજાઈ રહી છે.