આર્કીયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદના હેરીટેજ દરવાજાઓમાંથી વાહનવ્યવહાર બંધ કરાવવા તાકીદ
ઐતિહાસિક દરવાજાઓની આસપાસના દબાણ દુર કરી બેરીકેડીંગ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનને સુચન કરાયું
અમદાવાદ,સોમવાર,23
જુન,2025
અમદાવાદના ઐતિહાસિક એવા દિલ્હી દરવાજાનો લાકડાનો દરવાજો
થોડા સમય પહેલા ધરાશાયી થયો હતો. આ ઘટના પછી આર્કીયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા
શહેરના તમામ હેરીટેજ દરવાજાઓમાંથી થતી વાહનોની અવરજવર બંધ કરાવવવા તાકીદ કરાઈ છે.
ઐતિહાસિક દરવાજાઓની આસપાસના દબાણ દુર કરી બેરેકેડીંગ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનને
સુચન કરાયુ છે.દરવાજાની આસપાસ બેરીકેડીંગ કરવામાં આવે તો રસ્તા બંધ થઈ જાય એવી
સંભાવના છે.
આર્કીયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા તરફથી લખાયેલા પત્રમાં વર્લ્ડ
હેરીટેજ અમદાવાદ શહેરમાં બાર પૈકી નવ દરવાજા આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના
નિયંત્રણ હેઠળ આવેલા છે.આ દરવાજાઓમાંથી રાહદારીઓ અને વાહનો પસાર થાય છે.વાહનોની
અવરજવર બંધ કરાવો.આ દરવાજામાંથી અવરજવર બંધ કરાવવામા આવે તો કોટ વિસ્તારમાં
ટ્રાફિકની સમસ્યા ઘણી વધી જાય તેમ છે.દિલ્હી દરવાજાની અંદરથી તો રોજના હજારો વાહનોની
અવરજવર થતી હોય છે.જો વચ્ચેના દરવાજાને બંધ કરી દેવામાં આવે તો દિલ્હી ચકલાથી
અવરજવરનો એક જ માર્ગ ચાલુ રહે એમ છે.ત્રણ દરવાજાની આસપાસના વિસ્તારમાં ખુબ દબાણ
વધી ગયા છે. દરવાજાની અંદરના ભાગમાં વિવિધ ચીજ વસ્તુઓ લટકાવવામાં આવે છે.આ
પ્રકારના દબાણ તાકીદે દુર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનને તાકીદ કરવામાં આવી છે.
ટ્રાફિક પોલીસ સહિતના વિભાગ સાથે સંકલન કરી નિર્ણય કરાશે
મધ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે
કહયુ,પત્રમાં
વાહનવ્યવહાર બંધ કરવા માટે કહેવાયુ છે. આ સંદર્ભમાં આગામી સમયમાં ટ્રાફિક પોલીસ
સહિતના વિભાગ સાથે સંકલન કરી નિર્ણય કરાશે.વાહન વ્યવહાર બંધ થવાથી ડાયવર્ઝન
આપવામાં આવે તો ટ્રાફિકની મુવમેન્ટ કઈ રીતની હોઈ શકે વગેરે બાબતનો અભ્યાસ કરી
ચર્ચા વિચારણા પછી મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી મેળવવામાં
આવશે.
ભગવાન જગન્નાથની રથયાત્રા પાંચકુવા અને પ્રેમ દરવાજા પાસેથી
પસાર થાય છે
આ વર્ષે ભગવાન જગન્નાથની ૧૪૮મી પરંપરાગત રથયાત્રા શુક્રવારે
નીકળશે. રથયાત્રાના રૃટ મુજબ દર વર્ષે રથયાત્રા પાંચકુવા દરવાજા અને પ્રેમ દરવાજા
પાસેથી પસાર થાય છે.દરવાજાની અંદરથી રથ પસાર કરવામાં આવે છે.આ બંને દરવાજાઓમાંથી
પણ વાહનો પસાર થતા હોય છે.સારંગપુર,રાયપુર
અને કાલુપુર દરવાજાઓમાંથી પણ રોજ મોટી સંખ્યામાં વાહનો અવર જવર કરતા હોય છે.
૧૪૮૬માં અમદાવાદમાં બાર ઐતિહાસિક દરવાજા હતા
૧૪૧૧માં અહમદશાહ બાદશાહે શહેરની સ્થાપના કરી એ પછી ૧૪૮૬માં મહમદ બેગડાના સમયમાં શહેરનો વિકાસ થયો એ સમયે શહેરમાં મુખ્ય બાર દરવાજા હોવાનુ ઈતિહાસકારોનો મત છે.કાળક્રમે એલિસબ્રિજની નીચે બનાવાયેલો ગણેશ દરવાજો અને લાલદરવાજો નષ્ટ પામ્યા છે. અન્ય દરવાજા આ મુજબ છે.
૧.શાહપુર દરવાજા,૨.દરિયાપુર
દરવાજા,૩.કાલુપુર
દરવાજા,૪.સારંગપુર
દરવાજા,૫.રાયપુર
દરવાજા,૬.આસ્ટોડીયા
દરવાજા,૭.પાંચકુવા
દરવાજા,૮.જમાલપુર
દરવાજા,૯.રાયખડ
દરવાજા,૧૦.ખાનપુર
દરવાજા,૧૧.પ્રેમ
દરવાજા,૧૨.હલીમ
દરવાજા