Gujarat

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા

By GS TEAM
30 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે (31 મે, 2026) ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે IPL-2026ની ફાઇનલ મેચ રમાશે. IPL-2026ના મેચના રોમાંચ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા ક્રિકેટ રસિકોને સ્ટેડિયમ આવવા-જવા માટે વધારાની બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા
BRTS Run Special Buses For IPL 2026 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે (31 મે, 2026) ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે IPL-2026ની ફાઇનલ મેચ રમાશે. IPL-2026ના મેચના રોમાંચ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા ક્રિકેટ રસિકોને સ્ટેડિયમ આવવા-જવા માટે વધારાની બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

મેચના દિવસે આ ખાસ સુવિધા 
મેચ રવિવારે સાંજે 7:30 કલાકે શરૂ થવાની હોવાથી મુસાફરોની સગવડ માટે BRTS બસની સુવિધા સવારે 6 વાગ્યાથી લંબાવીને મોડી રાત્રે 1 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. જેમાં રૂટીન 36 બસોની સાથે વધુ 16 એક્સ્ટ્રા બસો મળીને કુલ 52 બસો દોડાવાશે.

11 વધારાની બસો સ્ટેડિયમ માટે
બપોરે 3:30 કલાકથી મેચ પૂર્ણ થાય ત્યાં સુધી 11 રેગ્યુલર બસોને ડાયવર્ટ કરીને સીધી વિસત જંકશન (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) સુધી દોડાવવામાં આવશે.

કયા રૂટ પર કેટલી વધારાની બસો?
તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોને જોડતા ખાસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.
- ઈસ્કોનથી વિસત જંકશન: 04 બસો.
- એરપોર્ટથી વિસત જંકશન: 03 બસો.
- વિસતથી નારોલ (કાલુપુર, ગીતામંદિર થઈને): 02 બસો.
- એલ.ડી. એન્જી./નેહરુનગરથી વિસત જંકશન: 02 બસો.
- વિસત જંકશન (રાત્રે 10:30 પછી): 05 સ્પેશિયલ બસો.

સ્ટેડિયમ નજીકના મુખ્ય સ્ટેશનો
ક્રિકેટ પ્રેમીઓ માટે મોટેરા ક્રોસ રોડ અને સાબરમતી પોલીસ સ્ટેશન BRTS સ્ટેશનો સૌથી નજીક પડશે. તેમજ,મેચ દરમિયાન ટ્રાફિકનું નિયમન જળવાઈ રહે તે માટે ફિલ્ડ ઓફિસર, સિક્યુરિટી ઓફિસર, વિજિલન્સ ટીમ અને ટિકિટિંગ માટે વધારાનો સ્ટાફ ફરજ પર રહેશે. સમગ્ર કામગીરી પર નજર રાખવા માટે જનમાર્ગનું 'કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર' પણ સતત કાર્યરત રહેશે, જેથી મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે.