બહેન-બનેવીને ઝઘડો થતાં ઉશ્કેરાયેલા સાળાએ બનેવીને માર માર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરામાં દંતેશ્વરના વીરપુર નગરમાં રહેતા શ્રમજીવી ઉમેશ જવરાભાઈ વણઝારાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 18મી તારીખે રાત્રે 8:00 વાગે હું મારા કામ પરથી પરત ઘરે આવ્યો હતો. તે વખતે મારો સાળો સરદાર ઉર્ફે પીન્ટુ લક્ષ્મણભાઈ વણઝારાએ મને ફોન કરીને તેના ઘરે પ્રસાદી લેવા માટે બોલાવ્યો હતો.
જેથી મેં મારી પત્નીને કહ્યું કે હું સરદારના ઘરે જઈને પ્રસાદી લઈ આવું છું જે વાતને લઈને મારી પત્ની નારાજ થઈ ગઈ હતી. મને મારા સાળાના ઘરે જવાની ના પાડી દીધી હતી. મેં મારા સાળાને ઘરે બોલાવતા તે અને તેની પત્ની અરુણા મારા ઘરે આવ્યા હતા અને કંઈ પણ વાતચીત કર્યા વગર મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. મારા સાળાની પત્નીએ મારા હાથ પકડી લીધા હતા અને મારા સાળાએ મને માર માર્યો હતો અને ધમકી આપી કે તું જ્યાં પણ મળીશ તને મારી નાખીશ અને ત્યારબાદ તે મારી પત્નીને લઈને જતો રહ્યો હતો.








