Get The App

વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના, જાણો વારંવાર આવું થવાના 5 કારણ

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના, જાણો વારંવાર આવું થવાના 5 કારણ 1 - image


Ahmedabad Plane Crash: એર ઈન્ડિયાની અમદાવાદ-લંડન જતી AI171 ફ્લાઈટ બોઈગ 787-8 ડિપલાઈનર સૌથી સુરક્ષિત પેસેન્જર પ્લેન ગણાય છે. 2011માં અમેરિકાના શિકાગો સ્થિત બોઈગ કંપની પહેલીવાર ઉડાન માટે લેવામાં આવેલા આ એરક્રાફ્ટની એડવાન્સ ટેક્નોલોજી, આધુનિક ડિઝાઈન અને સ્ટ્રોંગ સેફ્ટી રેકોર્ડ બહુ ચર્ચિત છે. આ ઘટના વિશ્વમાં છઠ્ઠી ઘટના છે. જ્યારે બોઈંગ 787 એરક્રાફ્ટ ક્રેશ થયું હોય. વધુ સુરક્ષિત ગણાતા બોઈંગ 787માં અમદાવાદમાં થયેલા વિમાન ક્રેશે એની સારી સુરક્ષાની માન્યતા તોડી છે.

વિમાન ક્રેશ થવાનું કારણ હજું જાણી શકાયું નથી

મળતી માહિતી અનુસાર, 242 મુસાફરો સાથે ઉડાન પછી પાંચ જ મિનિટમાં જ્યારે પ્લેન જમીન પર ક્રેશ થયું, ત્યારે તેની ઉંચાઈ 650 ફૂટ પર હતી. જોકે, તેના ક્રેશ થવાનું કારણ હજું જાણી શકાયું નથી. 2011થી લઈને અત્યાર સુધીમાં બોઈંગ 787 વૈશ્વિક સ્તરે અનેક કલાકો સુધી ફ્લાઈટ અવર્સમાં ગાળ્યા છે. જાણકારોના મતે તેના ટ્રેક રેકોર્ડમાં બેટરીના સવાલો આવ્યા હોય તેવું બન્યું હશે, પરંતુ અત્યાર સુધીનો આ સૌથી પ્રથમ આ સ્તરનો કેસ બોઈગ 787ના ઈતિહાસમાં જોવા મળ્યો છે.

જાણકારોના મતે 787 બોઈંગની સુરક્ષા સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણવામાં આવે છે. ક્યા સ્તરે અને ક્યા ચૂક થઈ છે તે તપાસનો વિષય છે. બોઈંગ એરક્રાફ્ટ 787 અત્યાર સુધીના જેટલાં વિમાન અકસ્માતો થયા છે તેની ભૂલો શોધીને ખાસ બનાવવામાં આવ્યા છે. મોટા ભાગના એવિએશન ઈન્ડસ્ટ્રીઝના વિદ્વાનો તેને સૌથી સુરક્ષિત એરક્રાફટ માને છે. છતાં પણ તેમાં અકસ્માત થવાને કારણે સુરક્ષા એજન્સીઓ અને એવિએશન નિષ્ણાંતોમાં અનેક અટકળો જોવા મળી રહી છે.

જાણકારોના મતે મોટા ભાગે વિમાન ક્રેશ થવાના મુખ્ય પાંચ કારણો જોવા મળે છે.

એન્જિન ફેઈલ્યોર

બોઈંગ 787માં Rolls-Royce Trent 1000માં ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ઘણીવાર બર્ડ પીટ કે કોઈ ખામીને કારણે મુશ્કેલી કરી શકે છે, જેમાં Mey Day Coll કરવામાં આવે છે. પાયલોટ દ્વારા ત્રણ વાર મેડે બોલવામાં આવતાં એર ટ્રાફિક સ્ટાફ હરકતમાં આવે છે. ઘણીવાર એન્જિન ફેઈલોરનું કોઈ ચોક્કસ કારણ મળી શકતું નથી.

ઉડાન પછી અચાનક ઉતરાણ

એડીએસ ફ્લાઈટ ડેટા જણાવે છે કે એરક્રાફ્ટ ઘણીવાર અચાનક ટેકઓફ કરતી વખતે લેન્ડિંગ ગીઅરમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાઈ છે. એન્જિનમાં થયેલી ખામીને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઘણીવાર ફ્લેપ સેટિંગમાં થયેલી ભૂલને કારણે પણ થાય છે.  

પાયલોટની ભૂલ અને ફ્લેપ સેટિંગ 

પાયલોટની ભૂલ અને ફ્લેપ સેટિંગને કારણે પણ ફ્લાઈટની ઉડાનમાં મુશ્કેલી થાય છે. 

વાતાવરણ અને ઓપરેશનલ પરિબળ 

ઊંચું તાપમાન અને ઓછા રન વેમાં થયેલું ટેક ઓફના કારણે વિમાનમાં લોડ આવી શક્યો હોય, એરક્રાફ્ટમાં અગાઉ કોઈ ખામીની દરકાર ન લેવાઈ હોય બોઈંગમાં હોઈડ્રોલિક લિક્સ કે ફ્લેપના ઈસ્યું આવ્યા હોવાથી પણ અકસ્માત થઈ શકે છે.


Tags :