Get The App

જામનગરમાં અંધાશ્રમ આવાસ નજીક રેલવે ટ્રેક પરથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં અંધાશ્રમ આવાસ નજીક રેલવે ટ્રેક પરથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો 1 - image

Jamnagar : જામનગર શહેરના સિટી "સી" ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અંધાશ્રમ આવાસ નજીક રેલવે બ્રિજ પાસે રેલવે ટ્રેક પરથી એક અજાણ્યા વૃદ્ધ પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 પ્રાપ્ત વિગતો મુજબ તા. 09/06/2026 ના રોજ બપોરે આશરે 1:30 કલાક પહેલાં અંધાશ્રમ આવાસ પાસે રેલવે પોલ નં. 830/18 થી 830/20 વચ્ચેના રેલવે ટ્રેક ઉપર આશરે 60 વર્ષના અજાણ્યા પુરુષ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. બનાવની જાણ થતાં શહેર "સી" ડિવિઝન પોલીસ તથા રેલવે કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા.

પ્રાથમિક તપાસમાં મૃતક રેલવે ટ્રેન સાથે અથડાતા અકસ્માતે મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ-194 મુજબ અકસ્માત મોત અંગે નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તેમજ તેના વારસદારોને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકની ઉંમર આશરે 60 વર્ષ હોવાનું અનુમાન છે. હાલમાં મૃતકની ઓળખ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. મૃતદેહને જરૂરી કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે.

 શહેર "સી" ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.જો કોઈ વ્યક્તિ આ અજાણ્યા મૃતકની ઓળખ અંગે માહિતી ધરાવતી હોય અથવા મૃતકના પરિવારજનો વિશે જાણતી હોય તો તેઓએ તાત્કાલિક શહેર "સી" ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગર અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી પોલીસને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.