Gujarat

જામનગરના બેડેશ્વર નજીક કાપડ મિલની ચાલી વિસ્તારમાં નિર્જન સ્થળેથી એક અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યો

By GS TEAM
8 Mar 20261 min read
TukuTouch Logo
જામનગરમાં બેડેશ્વર નજીક કાપડ મિલની ચાલી નજીક સીમ વિસ્તારમાં અવાવરૂ સ્થળેથી આશરે 50 થી 60 વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા બે ત્રણ દિવસથી આ મૃતદેહ પડ્યો હોવાના કારણે કોહવાઈ ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બેડેશ્વર નજીક કાપડ મિલની ચાલી વિસ્તારમાં નિર્જન સ્થળેથી એક અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યો

જામનગરમાં બેડેશ્વર નજીક કાપડ મિલની ચાલી નજીક સીમ વિસ્તારમાં અવાવરૂ સ્થળેથી આશરે 50 થી 60 વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા બે ત્રણ દિવસથી આ મૃતદેહ પડ્યો હોવાના કારણે કોહવાઈ ગયો હતો. 

જે બનાવ અંગે રવિભાઈ કિશોરભાઈ પરમાર નામના વ્યક્તિએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. ડી.જી. રાજ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને અજાણ્યા પુરુષના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમ કરાવાયું છે, જ્યારે તેની ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. કોઈ બીમારીના કારણે તેનું મૃત્યુ નિપજયું હોવાનો તારણ નીકળ્યું છે.