Get The App

ગંભીરા પુલ દુર્ઘટનામાં આંકલાવના બામણના બે યુવકોના મૃતદેહ મળ્યા

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
ગંભીરા પુલ દુર્ઘટનામાં આંકલાવના બામણના બે યુવકોના મૃતદેહ મળ્યા 1 - image


એક સાથે બે અંતિમયાત્રા નીકળતા ગામમાં ગમગીનિ

નોકરીએ જતી વખતે બ્રિજ તૂટી પડતા ત્રણ મિત્રો બાઈક સાથે નદીમાં ખાબક્યા હતાં

આણંદ: ગંભીરા પુલ દુર્ઘટનામાં આંકલાવના બામણ ગામના બે યુવકોના મૃતદેહ મળ્યા હતા. બંનેની એક સાથે અંતિમયાત્રા નિકળતા ગામમાં ગમગીનિ છવાઈ ગઈ હતી. નોકરીએ જતી વખતે પૂલ તૂટતા ત્રણ મિત્રો બાઈક સાથે નદીમાં ખાબક્યા હતા.

ગંભીરા પુલ દુર્ઘટનાને ૨૪ કલાકથી વધુ સમય વીતિ ગયો છે. ત્યારે હજુ પણ મૃતદેહ દબાયા હોય એવી સંભાવનાઓ વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોમાં જોવા મળી રહી છે. દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૫ મૃતદેહ મળી આવ્યા છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના બામણ ગામના બે યુવકોના દુર્ઘટનામાં મોત થયા છે. જેમાં મોહનભાઈ ચાવડા અને અતુલ રાઠોડના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. બંને મૃતકોની અંતિમયાત્રા આજે એક સાથે નીકળી હતી. એક જ ગામના બંને યુવકોની એક સાથે નનામી ઉઠતા ગામ હિબકે ચઢ્યું હતું. ગામમાં ગમગીનિનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે હજૂ બે યુવકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક અતુલ રાઠોડે બીએસસી સુધીનો અભ્યાસ કરેલો હતો. તે બ્રિજને સામે છેડે નજીકમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગઈકાલે સવારે તે પોતાના અન્ય બે મિત્રો સાથે બાઈક ઉપર નોકરીએ જતો હતો. દરમિયાન બ્રિજ તૂટી પડયો હતો અને ત્રણેય મિત્રો બાઇક સાથે નીચે નદીમાં ખાબક્યાં હતા.

Tags :