Get The App

ગાંધીનગર નજીક કેનાલમાંથી પિતા સહિત બે બાળકોના મૃતદેહ મળ્યા, અમદાવાદથી ત્રણેય થયા હતા ગુમ

Updated: Apr 4th, 2025

GS TEAM


Google News
Google News
ગાંધીનગર નજીક કેનાલમાંથી પિતા સહિત બે બાળકોના મૃતદેહ મળ્યા, અમદાવાદથી ત્રણેય થયા હતા ગુમ 1 - image
પ્રતિકાત્મક તસવીર

Gandhinagar News : ગુજરાતમાં અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા મૂળ મહેસાણાના ઊંઝાના કંઠરાવી ગામના નીતિનભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બે દિવસ પહેલા નીતિનભાઈ બે પુત્ર સાથે અમદાવાદથી ગુમ થયા હોવાનું સામે આવ્યું હતું. આ પછી સગા-સંબંધીએ અડાલજ નર્મદા કેનાલ પાસેથી નીતિનભાઈની રિક્ષા મળી હોવાની પોલીસને જાણ કરી હતી. જ્યારે કલોલ તાલુકાના જાસપુર કેનાલના ગણપતપુરા વિસ્તારમાંથી પિતા અને બે પુત્ર મૃતદેહ મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદથી ગુમ થયેલા પિતા-બે પુત્રના કેનાલમાંથી મૃતદેહ મળ્યાં

અમદાવાદના નીતિનભાઈ રબારી (ઉં.વ. 25) અને તેમના 1 અને 5 વર્ષની ઉંમરના બે પુત્રો બે દિવસ પહેલા ગુમ થયા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ગાંધીનગરના કલોલ તાલુકાના જાસપુર ગામ નજીક આવેલી કેનાલમાંથી પિતા અને બે પુત્રના મૃતદેહ મળી આવ્યા છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ કાળઝાળ ગરમી રહેશે યથાવત્, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં હીટવેવનું ઑરેન્જ-યલો ઍલર્ટ

મળતી માહિતી મુજબ, પિતાએ કોઈ કારણોસર બે માસુમ બાળકો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી  હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Tags :