Get The App

ભાવનગરમાં 4 થી વધુ સ્થળોએ આજે રકતદાન કેમ્પ યોજાશે

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
ભાવનગરમાં 4 થી વધુ સ્થળોએ આજે રકતદાન કેમ્પ યોજાશે 1 - image


- યુદ્ધ વિરામની જાહેરાત છતાં ક્રાર્યક્રમ યથાવત રહેશે 

- ક્રેસંટ, ઘોઘાગેટ, મોતીબાગ ટાઉનહોલ, વાઘાવાડી રોડ અને વલ્લભીપુરમાં રકતદાન કેમ્પ યોજાશે 

ભાવનગર : ભારત-પાક. યુદ્ધ વચ્ચે તણાવને લઈ સરકાર એલર્ટ મોડ પર છે તેવામાં સંભવિત આપત્તિને ધ્યાને લઈ ઠેર-ઠેર રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે. દરમિયાનમાં મોડી સાંજે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે છતાં શહેરમાં ચાર અને જિલ્લામાં વલ્લભીપુર ખાતે આવતીકાલ રવિવારે વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાશે. 

શહેરના સેેતુબંધ માણેકવાડી મિત્ર મંડળના ઉપક્રમે એક બોટલ દેશ કે નામ શિર્ષક તળે આવતીકાલ તા.૧૧ને રવિવારે સાંજે ૫ થી રાત્રીના ૯ સુધી સર પટ્ટણી રોડ પર ક્રેસંટ સર્કલ પાસેના શિવશકિત હોલમાં મહા રકતદાન કેમ્પ યોજાશે. તેમજ રવિવારે સવારે ૯ થી ૨ દરમિયાન શહેરના મોતીબાગ ટાઉનહોલમાં શહેર ભાજપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. તેમજ ગોલ્ડન ગુ્રપ ઓફ ભાવનગર, બિઝનેસ સેન્ટર વેપારી એસોસીએશન અને સર ટી. હોસ્પિટલની બ્લડ બેન્કના સહયોગથી રવિવારે સવારે ૯ થી બપોરે ૧ સુધી શહેરના ઘોઘાગેટ પોલીસ ચોકી સામે આવેલ બિઝનેસ સેન્ટર પાસે રકતદાન શિબિર યોજાશે. આ ઉપરાંત રોટરી કલબ ભાવનગર રોયલ તથા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન દ્વારા રવિવારે સવારે ૯ થી બપોરે ૧ સુધી શહેરના વાઘાવાડી રોડ પર ઓનેસ્ટ રેસ્ટોરન્ટ પાસે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ ઉપરાંત સ્થાનિક રહિશો દ્વારા સર ટી. હોસ્પિટલની બ્લડ બેન્કના સહયોગથી આવતીકાલ તા.૧૧ ને રવિવારે સવારે ૯ થી ૧૨ વલ્લભીપુરમાં આવેલ જી.એન.ગોટી કેન્દ્રવર્તી શાળા નં.૧ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. 

Tags :