Gujarat

અમદાવાદમાં સિલિન્ડરનો કાળો કારોબાર! 3 લાખ લોકો પાસે LPG-PNG ડબલ કનેક્શન

By GS TEAM
21 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં એલપીજી અને પીએનજી બંને કનેક્શન ધરાવતા લોકોની સંખ્યાનો તંત્રને તાળો મળતો નથી. ત્યારે આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદ શહેરમાં અઢીથી ત્રણ લાખ જેટલા ડબલ કનેક્શન હોવાની પૂરેપૂરી શક્યતા છે. આવા ડબલ કનેક્શન મામલે તંત્ર ખાસ કંઈ ઉકાળી શક્યું નથી. બીજી તરફ કેટલાક તત્ત્વો હાલ ઘરેલું બાટલામાંથી ગેસની કટકી કરી કોમર્શિયલ સિલિન્ડરમાં ભરીને બ્લેકમાં વેચવાનો ધીકતો ધંધો ચલાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં સિલિન્ડરનો કાળો કારોબાર! 3 લાખ લોકો પાસે LPG-PNG ડબલ કનેક્શન

Ahmedabad LPG Scam: અમદાવાદમાં એલપીજી અને પીએનજી બંને કનેક્શન ધરાવતા લોકોની સંખ્યાનો તંત્રને તાળો મળતો નથી. ત્યારે આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદ શહેરમાં અઢીથી ત્રણ લાખ જેટલા ડબલ કનેક્શન હોવાની પૂરેપૂરી શક્યતા છે. આવા ડબલ કનેક્શન મામલે તંત્ર ખાસ કંઈ ઉકાળી શક્યું નથી. બીજી તરફ કેટલાક તત્ત્વો હાલ ઘરેલું બાટલામાંથી ગેસની કટકી કરી કોમર્શિયલ સિલિન્ડરમાં ભરીને બ્લેકમાં વેચવાનો ધીકતો ધંધો ચલાવી રહ્યા છે.

60થી 70 ટકા વિસ્તારમાં પીએનજીની લાઈન પહોંચી

અમદાવાદ શહેરમાં આશરે 12થી 15 લાખ ઘરેલું અને બે લાખ જેટલા કોમર્શિયલ એલપીજી કનેક્શન હોવાનો અંદાજ છે. જ્યારે બીજી બાજુ શહેરના 60થી 70 ટકા વિસ્તારમાં પીએનજીની લાઈન પહોંચી ગઈ છે. જો કે પીએનજીના જોડાણ લીધા બાદ પણ ગણતરીના લોકોએ જ એલપીજીના કનેક્શન રદ કરાવ્યા છે. જેથી એલપીજીના કુલ જોડાણમાંથી 25થી 30 ટકા એટલે કે અઢીથી ત્રણ લાખ જેટલા ડબલ કનેક્શન હોવાનું ગેસ સરકારના ફરમાન બાદ પણ હજી મોટા ભાગના લોકોએ રાંધણ ગેસના એલપીજી બાટલા સરેન્ડર કર્યા નથી. ઉલટાનું ઘરેલું બાટલામાંથી ગેસ કાઢીને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરીને વેચાવાનો ધીકતો ધંધો શરૂ થઈ ગયો છે. જેથી લોકોના ઘરે પહોંચતા પહોંચતા બાટલામાં ગેસનો કેટલો જથ્થો બચે છે? તેવો સવાલ ઉઠ્યો છે. તેમજ 25 દિવસ બાદ જ બીજા કેટલીક બાટલાની નોંધણીના નિયમનો ઉલાળિયો કોમર્શિયલ ઉપયોગ કરાઈ રહ્યો છે. આવા ગેરકાયદે રિફિલિંગના કારસ્તાન 2500માં ઘરેલું બાટલા ખરીદી તેનો મામલે પુરવઠા વિભાગ મૂકપ્રેક્ષક બનીને બેઠું છે.

આ પણ વાંચો: LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના

કોમર્શિયલ સિલિન્ડરનો કાળો કારોબાર

મધ્ય પૂર્વના તણાવભર્યા માહોલ વચ્ચે હવે ખુદ સરકારે પણ દેશમાં એલપીજીની સપ્લાયને ચિંતાનો વિષય ગણાવ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરના વપરાશ પર 60 ટકા સુધીનો કાપ મૂકી દેવાયો છે. ત્યારે કોમર્શિયલ ગેસની ભારે અછતના લીધે હાલ એજન્સીઓ દ્વારા માત્ર સ્કૂલ, હોસ્પિટલ, હોસ્ટેલ, મંદિર જેવી જગ્યાએ જ બાટલા આપવામાં આવી રહ્યા છે.

સામાન્ય દિવસોમાં 1900 રૂપિયામાં વેચાતો 19 કિલોનો કોમર્શિયલ ગેસનો બાટલો હાલ અઢીથી ત્રણ ગણા ભાવે 4500થી 5000 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ઘરેલું બાટલામાંથી ગેસ કાઢીને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરવામાં આવે તો તેની પડતર કિંમત 1250 રૂપિયા જેટલી થાય છે, તેના 4500થી 5000 રપિયા બ્લેકમાં વસૂલાય છે.