Gujarat

સાબરકાંઠા અને અરવલ્લીની 5 નપામાં 40થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે, ભાજપના નિયમ છે કારણ..

By GS TEAM
5 Apr 20262 mins read
TukuTouch Logo
સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની 5 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપ દ્વારા હિંમતનગર, ઈડર, વડાલી, મોડાસા અને બાયડ નગરપાલિકામાં દાવેદારોને પારખી, જિલ્લાની 5 નગરપાલિકામાં ભાજપ પાસે 107 બેઠક છે તેમાંથી 60 ટકા એટલે કે 65 જેટલા જૂના કોર્પોરેટરોને ટિકિટ મળવાની સંભાવના નહિવત્ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરકાંઠા અને અરવલ્લીની 5 નપામાં 40થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે, ભાજપના નિયમ છે કારણ..

Sabarkantha, Aravalli Municipal Elections: સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની 5 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપ દ્વારા હિંમતનગર, ઈડર, વડાલી, મોડાસા અને બાયડ નગરપાલિકામાં દાવેદારોને પારખી, જિલ્લાની 5 નગરપાલિકામાં ભાજપ પાસે 107 બેઠક છે તેમાંથી 60 ટકા એટલે કે 65 જેટલા જૂના કોર્પોરેટરોને ટિકિટ મળવાની સંભાવના નહિવત્ છે.

નબળી કામગીરી કરનારા કોર્પોરેટરોને પણ સાઈડલાઈન કરી દેવાશે

ભાજપ નવા ચહેરાઓ અને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને રાખી નગરપાલિકા ઉપર ભગવો લહેરાવવાનું ગણિત માંડ્યું છે. જ્યારે ટિકિટ આપવાની એસ.ઓ.પી.માં 60 વર્ષની ઉંમર અને સળંગ 3 ટર્મ જીતનાર, હારનારને ટિકિટ નહીં આપવાના નિયમના કારણે અનેક કોર્પોરેટરો રેસમાંથી બહાર થઈ જાય તેવી સંભાવના વ્યક્ત થઈ છે.

જિલ્લાની તમામ પાંચ નગરપાલિકાઓમાં જ્યાં સામાન્ય ચૂંટણી યોજવવાની છે તે તમામ નગરપાલિકાઓમાં છેલ્લા 5 વર્ષથી સત્તામાં રહ્યો છે, અનેક પાલિકાઓમાં અવારનવાર વિવાદ થતાં સ્થાનિક તથા પ્રદેશ નેતાગીરીએ હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. મોટાભાગની નગરપાલિકાઓમાં 5 વર્ષ દરમિયાન જૂથવાદ ખુલ્લો જોવા મળ્યો હતો. નબળા કામો અને અનેક કોર્પોરેટરોની નિષ્ક્રિયતા સામે રોષ પણ છૂપો રહ્યો નથી અને હવે આ તમામ 5 નગરપાલિકાની વર્ષ 2021થી 2026ની મુદત પૂરી થઈ છે અને આગામી 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજવવાની છે, ત્યારે ભાજપ 70 ટકા ઉમેદવારોની ટિકિટ એસ.ઓ.પી. તેમજ અન્ય નબળી કામગીરી તેમજ વિવાદોને ધ્યાને રાખી આપવાના મૂડમાં નથી અને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી યુવા બ્રિગેડને ભાજપ વધુ મજબૂત કરવાના માર્ગે હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે.

જિલ્લાની 16 તાલુકા પંચાયતના ઉમેદવારોની પેનલ તૈયાર

ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના 16 તાલુકા પંચાયતના ઉમેદવારો માટેની 3-3 દાવેદારોની પેનલ તૈયાર કરી પ્રદેશ ભાજપ સંગઠનને યાદી સોંપી દેવામાં આવી છે. જ્યારે આગામી 2 દિવસમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠક દીઠ સંભવિત 3-3 દાવેદારોની વિગતો સોંપવામાં આવશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોની પસંદગી જાહેર કરવામાં આવશે તેમ વિશ્વાસુ સૂત્રોએ જણાવ્યું છે. તાલુકા પંચાયતમાં મોટાભાગે પાયાના કાર્યકરોને પ્રાધાન્ય મળી શકે છે.

સેન્સમાં યુવાનો છવાયા, યુવાઓ સાથે નિરીક્ષકોએ 2થી 7 મિનિટ પરામર્શ કર્યો

જિલ્લાની 5 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં પ્રદેશ કક્ષાએથી સેન્સ લેવા આવેલા નિરીક્ષકોએ જૂના કોર્પોરેટરોને મોટાભાગે સાંભળ્યા-ન સાંભળ્યા જેવું વલણ અપનાવ્યું હતું. પરંતુ જે નવલોહિયા ઉમેદવારો હતા તેમની સાથે 2 થી 7 મિનિટ સુધીના પરામર્શ કરતાં અનેક કોર્પોરેટરોના પેટમાં તેલ રેડાયાની વિગતો પણ સામે આવી રહી છે. પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોને નવા ઉમેદવારોની ખોજ કરવાની જવાબદારી આપવામાં આવી હોય તેવું સ્પષ્ટ વલણ જોવા મળ્યું છે.