Gujarat
બાજવા ચર્ચ પાસે ટ્રક સાથે અકસ્માત થતા બાઇકસવારનું મોત
By GS TEAM
3 Feb 20261 min read

વડોદરા,બાજવા ચર્ચ નજીક ટ્રકની ટક્કર વાગતા બાઇકસવારને ગંભીર ઇજા થતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.
છાણી રેલવે સ્ટેશન પાસે રહેતા સંતરામ સીતારામભાઇ વનવાસી, ઉં.વ.૩૫ મૂળ યુ.પી.નો વતની છે. છેલ્લા ૧૦ વર્ષથી તે પરિવાર સાથે વડોદરા રહેતો હતો અને એક ખાનગીં કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો. ગત ૩૦ મી તારીખે રાત્રે સાડા આઠ વાગ્યે બાજવા ચર્ચ પાસેથી બાઇક લઇને પસાર થતો હતો. તે દરમિયાન ટ્રક સાથે અકસ્માત થતા તેને કપાળ, ડાબા ગાલ,ડાબા કાન, ડાબા પગે ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયો હતો. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થતા જવાહરનગર પોલીસે ટ્રકચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








