ભાવનગર-સાબરમતી ટ્રેન વધુ 6 માસ માટે ગાંધીગ્રામ સુધી દોડશે
- ટેકનિકલ કારણોસર રેલવે પ્રશાસનનો નિર્ણય
- ગાંધીગ્રામ-સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે
ભાવનગર : ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન (નં. ૨૦૯૬૫/૨૦૯૬૬) વધુ છ માસ માટે ભાવનગર-ગાંધીગ્રામ સુધી જ દોડશે. આ ટ્રેન સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ્દ રહેશે.
રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર તા. ૧૬ જૂન, ૨૦૨૫થી તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ટ્રેન નંબર ૨૦૯૬૫ / ૨૦૯૬૬ ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે ચાલશે અને આ ટ્રેનનું આગમન-પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર થશે નહીં.