ભાવનગર-હૈદરાબાદની સમર ટ્રેન જૂનના અંત સુધી લંબાવાઈ
- દર રવિવારે ભાવનગરથી અને શુક્રવારે હૈદરાબાદથી પ્રસ્થાન કરતી
- ટ્રેનનું ટિકિટ બુકિંગ શરૂ : સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ સ્ટેશને બન્ને દિશામાં રોકાશે
ભાવનગરના સિનિયર ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ભાવનગર-હૈદરાબાદ ટ્રેન (નં. ૦૭૦૬૨) દર રવિવારે સવારે ૧૦.૧૫ વાગ્યે ભાવનગર ટમનસ સ્ટેશનથી ઉપડે છે અને બીજા દિવસે સોમવારે બપોરે ૧૬.૪૫ વાગ્યે હૈદરાબાદ સ્ટેશન પહોંચે છે. આ ટ્રેન તા. ૧ જૂન સુધી દોડવાની હતી, જે હવે તા. ૨૯ જૂન સુધી દોડશે. તેવી જ રીતે, હૈદરાબાદ-ભાવનગર ટ્રેન (નં. ૦૭૦૬૧) દર શુક્રવારે હૈદરાબાદ સ્ટેશનથી ૧૯.૦૦ વાગ્યે ઉપડે છે અને રવિવારે સવારે ૦૫.૫૫ વાગ્યે ભાવનગર ટમનસ પહોંચે છે. આ ટ્રેન તા. ૩૦ મે સુધી દોડવાની હતી, જે હવે તા. ૨૭ જૂન સુધી ચાલશે.
આ ટ્રેનમાં સેકન્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ છે. આ ટ્રેન સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, સાબરમતી, વડોદરા, સુરત, ઉધના, નંદુરબાર, અમલનેર, ધરણગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, વાશિમ, હિંગોલી, બસમત, પૂર્ણા જંકશન, નાંદેડ, મુદખેડ જંકશન, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, મેડચલ અને સિકંદરાબાદ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેન (નં. ૦૭૦૬૨) માટે ટિકિટ બુકિંગ તાત્કાલિક અસરથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને આઈઆરસીટીસીવેબસાઇટ પર શરૂ થઈ ગઈ છે.