ભાવનગરમાં કોરોના વાયરસની ગતી વધી, વધુ 7 કેસ નોંધાયા
- શહેરમાં વધુ 7 દર્દી કોરોનામુક્ત થતા રાહત
- શહેરના શિશુવિહાર, વાઘાવાડી રોડ, કાળિયાબીડ, સિદસર વગેરે વિસ્તારમાં કોરોના વાયરસના કેસ નોંધાયા
ભાવનગર શહેરમાં આજે સોમવારે કોરોના વાયરસના વધુ ૭ કેસ નોંધાયા છે, જેમાં શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા ર૩ વર્ષના સ્ત્રી, વાઘાવાડી રોડ વિસ્તારમાં રહેતા ૩ર વર્ષના સ્ત્રી અને શાંતિનગર વિસ્તારમાં રહેતા પ૩ વર્ષના સ્ત્રી (ટ્રાવેલ હિસ્ટ્રી સુરત), સાગવાડી વિસ્તારમાં રહેતા પ૧ વર્ષના પુરૂષ, કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પ૯ વર્ષના પુરૂષ (ટ્રાવેલ હિસ્ટ્રી ધંધુકા), શિવપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષના પુરૂષ (ટ્રાવેલ હિસ્ટ્રી કચ્છ), સિદસર વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષના પુરૂષ વગેરેનો સમાવેશ થાય છે. આ દર્દીઓની તબીયત બગડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેઓને કોરોનાના લક્ષણો હોવાથી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ તેની તબીયત સારી હોવાથી હાલ ઘરે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવેલ છે.
શહેરમાં આજે વધુ ૭ દર્દી કોરોના મૂક્ત થયા હતાં. શહેર અને જિલ્લામાં છેલ્લા ર૩ દિવસમાં કોરોનાના કુલ પપ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના પ૪ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૬ દર્દી કોરોના મૂકત થયા છે, જયારે કોરોનાના ૧૭ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.