Gujarat

અમદાવાદમાં સતત બીજા વર્ષે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા, 6.5 કિ.મી.ના રુટમાંથી પસાર થશે

By GS TEAM
7 Feb 20261 min read
TukuTouch Logo
614 વર્ષ બાદ શરૂ થયેલી પરંપરા અનુસાર અમદાવાદમાં સતત બીજા વર્ષે ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં મોટા પ્રમાણમાં ભક્તોના આવવાના હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં સતત બીજા વર્ષે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા, 6.5 કિ.મી.ના રુટમાંથી પસાર થશે

Ahmedabad News : અમદાવાદ શહેરની સ્થાપના વખતથી બિરાજતા નગરદેવી ભદ્રકાળી માતાજી હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે 614 વર્ષ પછી શરૂ થયેલી પરંપરા અનુસાર સતત બીજા વર્ષે માતાજીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂના શહેરમાં ૬.૨૫ કિમીના રૂટ પર આવતા પ્રાચીન મંદિરો પાસેથી નગરયાત્રા પસાર થશે. 

પરંપરાગત રૂટ પરથી નિકળશે યાત્રા

ભદ્રના કિલ્લા સ્થિત મંદિર ખાતેથી તા.26 ફેબુ્રઆરીના રોજ વહેલી સવારે માતાજીની નગરયાત્રાનો પ્રારંભ થશે. ત્યાર બાદ આશરે 6.25 કિમીના નિયત કરાયેલા રૂટમાં લક્ષ્મી માતાજીની છાપ, માણેકનાથજીનું મંદિર, રાયપુર પાસે મદન ગોપાલની હવેલી, એએમસી કચેરીનું મહાબળેશ્વર મંદિર, જગન્નાથજી મંદિર, રિવરફ્રન્ટ પાસે મહાલક્ષ્મી માતાજીનું મંદિર, ગણેશજીનું મંદિર, બહુચર માતાનું મંદિર વગેરે પ્રાચીન મંદિરો પાસેથી આ યાત્રા પસાર થશે. 

આ પણ વાંચો : રશિયા અંગે બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી! જો સુનામી આવશે તો ભારત સુધી અસર થશે

ભવ્ય યાત્રાનું આયોજન

શણગારેલા ટેબ્લો અને ભજન મંડળીઓ સાથે સેંકડો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભદ્રકાળી માતાજી ઐતિહાસિક અને આઘ્યાત્મિક રીતે અમદાવાદના શહેરીજનો માટે ખુબ જ મહત્વ ધરાવે છે. ગત વર્ષથી માતાજીની નગરયાત્રા શરૂ કરવામાં આવી છે.