કાલે દક્ષિણાયન તેમજ વર્ષાઋતુનો પ્રારંભ, : શનિવારથી દિવસો ટૂંકા થશે
ભગવદ્ ગીતા મૂજબ અક્ષરબ્રહ્મયોગ નામના અધ્યાયમાં 'ષણ્માસા દક્ષિણાયનમ્, તત્ર ચાન્દ્રમસં જ્યોતિર્યોગી પ્રાપ્ય નિવર્તતે 'કહીને વર્ષના બે અયનકાળ, મહિનાના બે પક્ષ કૃષ્ણ અને શુક્લપક્ષ અને દિવસના બે કાળ દિવસ અને રાત્રિ, કે જે બન્નેને પિતૃયાન અને દેવયાન માર્ગ તરીકે સનાતનકાળથી પ્રચલિત છે તે જણાવ્યું છે અયનકાળનું પણ વૈજ્ઞાાનિક મહત્વ : શુક્રવાર 13 કલાક 28 મિનિટનો સૌથી લાંબો દિવસ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
રાજકોટ, : તા. 21 જૂને યોગ દિવસની સાથે જ ભગવાન શ્રીકૃષ્ણ જેમણે તેમના પહેલાના સનાતન સમયથી જે કાળ ગણાય છે તે ઉત્તરાયન સમયની પૂર્ણાહુતિ સાથે દક્ષિણાયનનો પ્રારંભ થશે. તો આ સાથે, ભારતીય ઋતુચક્ર પ્રમાણે વર્ષાઋતુનો પ્રારંભ થશે. ખગોળ વિજ્ઞાાનની દ્રષ્ટિએ તા. 21 જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ (આશરે સાડાતેર કલાક)નો રહેશે અને શનિવાર તા. 22થી દિવસો ક્રમશ: છ મહિના સુધી ટૂંકા થતા જશે.
ભારતનું મૌસમ વિજ્ઞાાન વિભાગ ચોમાસુ શરૂ થયાનો સમય નૈઋત્યના ચોમાસાનું આગમન થાય ત્યારે ગણે છે. જેમ કે કેરલમાં તા. 24 મે, મુંબઈમાં તા. 26 મે અને ગુજરાતમાં તા. 17 જૂનથી ચોમાસુ શરૂ થયું તેમ ગણાય છે જે તારીખ દર વર્ષે બદલાય છે. પરંતુ, ભારતીય પ્રાચીન મૌસમ પ્રણાલીએ સમય નિશ્ચિત કર્યો છે તે મૂજબ તા. 21 જૂને દક્ષિણાયન અને કર્કસંક્રાંતિ એટલે કે સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ સાથે વર્ષા ઋતુનો આરંભ થાય છે. જેમાં વરસાદ ખૂબ પડે છે તે વર્ષાઋતુ બે માસ ચાલશે અને ત્યારબાદ સપ્ટેમ્બરથી નવેમ્બર શરદઋતુ રહેશે.
હજારો વર્ષ પૂર્વે યોગેશ્વર શ્રીકૃષ્ણના સ્વમુખે કહેવાયેલી શ્રીમદ્ ભગવદ ગીતામાં અક્ષરબ્રહ્મયોગ નામના અધ્યાયમાં 'ષણ્માસા દક્ષિણાયનમ્, તત્ર ચાન્દ્રમસં જ્યોતિર્યોગી પ્રાપ્ય નિવર્તતે 'કહીને વર્ષના બે અયનકાળ, મહિનાના બે પક્ષ કૃષ્ણ અને શુક્લપક્ષ અને દિવસના બે કાળ દિવસ અને રાત્રિ, કે જે બન્નેને પિતૃયાન અને દેવયાન માર્ગ તરીકે સનાતનકાળથી પ્રચલિત છે તે જણાવ્યું છે. સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ થાય તે સમયે મકરસંક્રાંતિ સાથે ઉત્તરાયણ શરૂ થાય છે જે 6 માસની હોય છે જે આવતીકાલે પૂર્ણ થશે.
આ સાથે શુક્રવાર રાજકોટમાં 13 કલાક 28 મિનિટનો અને અન્ય શહેરોમાં તેમાં એકાદ-બે મિનિટના ફરક સાથે સૌથી લાંબો દિવસ રહેશે, કારણ કે સૂર્ય આ દિવસે મહત્તમ ઉત્તર અયન તરફ જઈને ત્યાંથી દક્ષિણ અયન તરફ પરત ફરે છે.