Gujarat

બેચરીનો મહી કેનાલ પરનો પુલ રાહદારીઓ માટે ખૂલ્લો મુકાયો

By GS TEAM
3 Aug 20251 min read
બેચરીનો મહી કેનાલ પરનો પુલ રાહદારીઓ માટે ખૂલ્લો મુકાયો

સોશિયલ મીડિયામાં લોકોએ આંદોલન શરૂ કર્યું હતું

રાહદારીઓ અને દ્વિચક્રી વાહન ચાલકોને હવે 10 કિલોમીટરના ફેરામાંથી મુક્તિ મળશે

આણંદ: ઉમરેઠના બેચરી ગામ પાસે આવેલો મહી કેનાલનો બ્રિજ ગંભીરા બ્રિજની ઘટના બાદ તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવાયો હતો. આ મામલે ગ્રામજનોના વિરોધ બાદ પગપાળા અને દ્વિચક્રી વાહનો માટે પુલ ખૂલ્લો મૂકી દેવાયો છે. 

તાલુકામાં બ્રિજ બંધ થવાના કારણે બેચરી, સુરેલી, ધૂળેટા, સુંદલપુરા અને અન્ય ગામોના લોકોને ઉમરેઠ અવરજવર કરવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. બાળકોને શાળામાં જવા, ખેડૂતોને ખેતરમાં અને નોકરીયાત વર્ગને અપડાઉન કરવામાં મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાને લઇને ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને સોશિયલ મીડિયામાં આંદોલન શરૂ કર્યું હતું. આગામી ચૂંટણીમાં નેતાઓને ગામમાં પ્રવેશ નહીં આપવાની ચીમકી આપવામાં આવી હતી. 

આ વિરોધના પગલે કોંગ્રેસના નેતાઓએ આજે ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પૂર્વ શુક્રવારની રાતે જ મહિ કેનાલના ક્રમચારીઓ દ્વારા પુલ રાહદારીઓ માટે ખૂલ્લો કરી દીધો હતો. જેના કારણે રાહદારીઓ અને દ્રિચકી વાહન ચાલકોને રાહત થઇ છે. હવે રાહદારીઓને ૧૦ કિલોમીટરનો ફેરો નહીં ફરવો પડે.