બી.સી.એ દ્રારા સદ્દગત ડો.મૃણાલીની દેવી પુઆર T-20 ટુર્નામેન્ટનું આયોજન
Vadodara : બી.સી.એ દ્રારા મહીલાઓ વચ્ચે ક્રિકેટની રમતની જાગ્રતતા માટે તથા ઉત્કર્ષ માટે મહીલા ક્લબ ક્રિકેટ વચ્ચેની સદ્દગત ડો.મૃણાલીની દેવી પુઆર T-20 ટુર્નામેન્ટ શરુઆત કરવામાં આવી છે.
બી.સી.એ દ્વારા ગતરોજ તારીખ ૩ જૂનથી સદ્દગત ડો.મૃણાલિની દેવી પુઆર T-20 ઇન્ટર ક્લબ મહીલા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. મહીલા ક્રિકેટની જાગ્રતતા, પ્રોત્સાહન, ઉત્કર્ષ અને મહીલા ક્રિકેટના પ્રમોશન માટે બી.સી એ.દ્વારા વડોદરા શહેરના ચાર મેદાન પર રોજની 8 મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 17 ક્લબની ટીમો એ ભાગ લીધો છે. વડોદરા ક્રિકેટ એસોસીએશનના કાર્યક્ષેત્રમાં કુલ 350 થી 400 મહીલા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ તરીકે ભાગ લીધો છે. જે વડોદરા ક્રિકેટ એસોસિએશનના કાર્યક્ષેત્રમાં રહેનાર મહીલાઓ તથા મહીલા ખેલાડીઓની પ્રગતિ માટે ખુબજ મહત્વ ધરાવે છે. આ ટુર્નામેન્ટની ઉદ્દધાટન મેચ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થતાં પહેલાં બે ટીમ વચ્ચે થનાર ટોસના સમયે વડોદરાની ખ્યાતી પ્રાપ્ત ભૂતપૂર્વ મહીલા ક્રિકેટર ગીતાબેન ગાયકવાડ અને મંગલાબેન બાબર તથા મહીલા એપેક્ષ કાઉન્સિલર્સ તનવીર મુકાદમની ઉપસ્થિતિમાં એપેક્ષ કાઉન્સિલર્સ અક્ષત પટેલના હસ્તે ટોસ ઉછાળી મેચની શરૂઆત કરાવવામાં આવી હતી.