ગુજસીટોકના ગુનાની ટોળકીના આરોપીની જામીન અરજી
૮ આરોપી પૈકી પાંચ ઝડપાયા : ત્રણને પકડવાના બાકી
વડોદરા,શહેરમાં દારૃની હેરાફેરી કરતી ટોળકીના એક આરોપીએ જામીન પર મુક્ત થવા કરેલી અરજીની આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.
ગત તા.૧૭મી એપ્રિલે વારસિયા વિસ્તારના માથાભારે અને શખ્સો અને બૂટલેગરો વચ્ચે થયેલી ગેંગવોર પછી પોલીસ કમિશનર દ્વારા તમામ આરોપીઓના ગુનાઇત ભૂતકાળની તપાસ કરી ગુનાઓની માહિતી મેળવવા સૂચના આપવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા પછી કુલ ૮ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ૮ પૈકી પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે. આ ગુનામાં સામેલ અને હોસ્પિટલમાં સારવાર હેઠળના આરોપી યશ મહેશભાઇ ચાવલા (રહે. સિન્ધુ પાર્ક સોસાયટી, વારસિયા) ની તબિયત સુધરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂરા થયા પછી જેલમાં ગયેલા આરોપી યશ ચાવલાએ જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.આ ગુનામાં હજી ત્રણ આરોપીઓ (૧) અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમાલ વાઘવાણી (રહે. સંતકંવર કોલોની, વારસિયા) (૨) મોહિત ઉર્ફે બટકો પ્રકાશભાઇ મનવાણી (રહે. સંતકંવર કોલોની, વારસિયા) તથા (૩) ધર્મેશ ઉર્ફે ગોલુ ઇન્દ્રકુમાર સચદેવ (રહે. જગદીશ પાર્ક ફ્લેટ, વારસિયા) ને પકડવાના હજી બાકી છે.