જામનગર પાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન : જુના કપડાંમાંથી બનાવાશે થેલી
image : Freepik
Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાનાં કમિશ્નર ડી.એન.મોદીની સુચના અનુસાર તથા નાયબ કમિશ્નર ડી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ 5 જુન,વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણનો અંત લાવવા માટેના પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુક્ત થાય તે માટે 'માય થેલી ઇવેન્ટ' નું આયોજન જામનગર મહાનગરપાલિકાની યુ.સી.ડી.શાખાની યોજનાનાં સ્વ સહાય જૂથોની બહેનો દ્વારા તા.03/06/2025 થી તા.31/10/2025 દરમ્યાન દર ગુરૂવાર તથા શુક્રવારનાં રોજ (બે દિવસ) સવારે 10:00 થી 2:00 અને 3:00 થી 6:00 દરમ્યાન જુદા-જુદા સ્થળોએ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છી રાજગોર બ્રહ્મ સમાજની વાડી 3, કામદાર કોલોની, ખોડિયાર કોલોની, રામેશ્વરનગર, માટેલ ચૌકમાં, સીએસસી સેન્ટર પાસે, જય માતાજી ઈમીટેશન, પટેલ કોલોની 9 નંબર છેડે રજવાડા સાફાની બાજુમાં 'માય થેલી' ઇવેન્ટ દરમ્યાન જાહેર જનતા દ્વારા જુના કપડાં આપવામાં આવશે, તો તેમાંથી જૂથની બહેનો દ્વારા આકર્ષક થેલી વિનામૂલ્યે બનાવી આપવામાં આવશે. આથી આ ઇવેન્ટનો જાહેર જનતા વધુમાં વધુ લાભ લે અને તેઓના સહયોગથી વધારાના કાપડમાંથી થેલી બનાવીને પ્લાસ્ટિકની થેલીનાં બદલે આ કાપડની થેલીનો ઉપયોગ કરે અને પ્લાસ્ટિકનો વપરાશ સંદતર બંધ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ થકી જામનગર શહેર પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને શુધ્ધ પર્યાવરણ પૂરું પાડવા તરફ પહેલ છે. તો આ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા જામનગર શહેરની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.