Gujarat

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ

By GS TEAM
6 Feb 20262 mins read
TukuTouch Logo
સુરત પાલિકા વિસ્તારમાં ગરીબ- મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે આર્શીવાદરૂપ બનેલા આયુષ્યમાન કાર્ડ માં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ બહાર આવ્યો છે. પાલિકાના વિપક્ષે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કાર્ડ રિન્યુ કરવાના હોય તેવા અરજદારો પાસે ચાર હજાર જેટલી રકમ પડાવવામાં આવે છે

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ

AI PHOTO


Surat Ayushman Card Scam: સુરત પાલિકા વિસ્તારમાં ગરીબ- મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે આર્શીવાદરૂપ બનેલા આયુષ્યમાન કાર્ડ માં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ બહાર આવ્યો છે. પાલિકાના વિપક્ષે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કાર્ડ રિન્યુ કરવાના હોય તેવા અરજદારો પાસે ચાર હજાર જેટલી રકમ પડાવવામાં આવે છે અને રકમ ન મળે તો બે મહિના સુધી અરજી પેન્ડીંગ રાખવામાં આવે છે. આવા ગંભીર આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષે ભ્રષ્ટાચાર અને એજન્ટોની મિલીભગત સામે તાત્કાલિક તપાસ કરવા માંગણી કરી છે. 

વિપક્ષનો હોબાળો

સુરત પાલિકાના વિપક્ષના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે સરકારની આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન છે. પણ સુરતમાં  આ યોજના હેઠળના કાર્ડ રિન્યુ કરવાની પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી રહી છે. 

ગરીબો માટેના કાર્ડમા ભ્રષ્ટાચાર

આ કાર્ડ રિન્યુ માટે અરજદારો આવે છે તેમની પાસેથી ચાર હજાર રૂપિયા જેટલી મોટી રકમની માંગણી કરવામાં આવે છે અને  ઝડપી એપ્રુવલ માટે જે અરજદારો નાણાં આપે છે. તેમના કાર્ડ માત્ર બે કલાકમાં એપ્રુવ થઈ જાય છે. જ્યારે સામાન્ય પ્રક્રિયામાં ફોર્મ ભરનારા નાગરિકોને એકથી બે મહિના સુધી ધક્કા ખાવા પડે છે અથવા તેની અરજી પેન્ડિંગ રાખવામાં આવે છે.

આયુષ્માન કાર્ડ બન્યું ભ્રષ્ટાચારનું કેન્દ્ર

સરકારી વિભાગના અમુક કર્મચારીઓ અને વચેટિયાઓ મિલીભગત વગર આ પ્રકારનું કામ શક્ય નથી. જે ગરીબ જનતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ જેવી સંવેદનશીલ યોજનામાં જો આવો ભ્રષ્ટાચાર થતો હોય, તો તે અત્યંત ગંભીર બાબત છે. આનાથી સરકાર ની છબી ખરડાય છે અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર થી વંચિત રહી જાય છે. જેના કારણે આ ભ્રષ્ટાચાર માં સામેલ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને ફરજ મુક્ત કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવે છે.