Gujarat

ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે બનાવાયું ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર

By GS TEAM
10 Mar 20261 min read
TukuTouch Logo
ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર બનાવવામાં આવ્યું છે. ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર બનાવવાથી હવે મુસાફરો મેટ્રો સ્ટેશન અને રેલવે સ્ટેશન વચ્ચે સીધી અવર-જવર કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે બનાવાયું ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર

Gandhinagar News : ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર બનાવવામાં આવ્યું છે. ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર બનાવવાથી હવે મુસાફરો મેટ્રો સ્ટેશન અને રેલવે સ્ટેશન વચ્ચે સીધી અવર-જવર કરી શકશે. 

ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે 35 કરોડ રૂપિયાના ખર્ચે ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલેટર તૈયાર કરવામાં આવ્યું છે. મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન જવા માટે મુસાફરોને અડધા કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું હતું. પરંતુ હવે ટ્રાવેલેટર બનાવતા મુસાફરોને રાહત થશે.

આ પણ વાંચો: 'ગરીબ માણસને બસમાં પણ ટિકિટ મળતી નથી, કેમ કે બસ જ નથી આવતી', MLAની મેચની ટિકિટની માંગ પર બોલ્યા ગોપાલ ઈટાલિયા

મેટ્રોમાંથી ઉતરતા મુસાફરો સીધા જ સ્ટેશનમાંથી જ ટ્રાવેલેટર મારફતે રેલવે સ્ટેશનમાં અને ટ્રેનમાંથી ઉતરતા મુસાફરો ત્યાંથી જ મેટ્રો સ્ટેશન સુધી પહોંચી શકશે.