Gujarat

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત

By GS TEAM
1 Nov 20251 min read
TukuTouch Logo
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર વરસી રહ્યો છે. અમરેલીમાં અવિરત વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. આ દરમિયાન અઠવાડિયામાં અમરેલીના ધારી ગીર પંથક સહિતની જગ્યાએ 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. આજે(1 નવેમ્બર) પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી માહોલ વચ્ચે ધારીમાં મકાન ધરાશાયી થતાં એક આધેડ મહિલાનું મોત નીપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત

Amreli News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર વરસી રહ્યો છે. અમરેલીમાં અવિરત વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. આ દરમિયાન અઠવાડિયામાં અમરેલીના ધારી ગીર પંથક સહિતની જગ્યાએ 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. આજે(1 નવેમ્બર) પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી માહોલ વચ્ચે ધારીમાં મકાન ધરાશાયી થતાં એક આધેડ મહિલાનું મોત નીપજ્યું છે. 


ધારીમાં મકાન ધરાશાયી થતાં આધેડ મહિલાનું મોત

મળતી માહિતી મુજબ, અમરેલીના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે કમોસમી વરસાદી યથાવત્ છે. તેવામાં આજે શનિવારે ધારી ગીર પંથકના સરસીયા ગામે મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 1 આધેડ મહિલાનું મોત નીપજ્યું. બીજી તરફ, સરસીયા ગામમાં અલગ-અલગ 3 જેટલાં મકાનની દિવાલ ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. 


આ પણ વાંચો: નેટવર્ક આવતુ નથી, એપ ખુલતી નથી..' ઓનલાઈન સર્વેના ગતકડાંથી અમરેલીના ખેડૂતોમાં રોષ, પેકેજની માંગ


અવિરત કમોસમી વરસાદ વચ્ચે મકાન ધરાશાયી

અમરેલીમાં નાના લીલીયામાં ગઈકાલે શુક્રવારે (31 ઓક્ટોબર, 2025) મકાન ધરાશાયી થયું હતું. શાંતાબહેન સોમાભાઈ બળોલીયાનું કાચુ મકાન ધરાશાયી થતાં સરપંચ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, આ ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ પહોંચી નથી. બનાવ અંગે સરપંચે મામલતદાર અને ટી.ડી.ઓ.ને જાણ કરી હતી. જ્યારે ત્રણ દિવસ પહેલા રાજુલાના આગરીયા ગામમાં વરસાદી માહોલ વચ્ચે મકાન ધરાશાયી થયું હતું.