Gujarat

પ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે નિયુક્ત કરવાથી શિક્ષણ પર ગંભીર અસર : પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ ચિંતા વ્યક્ત કરી

By GS TEAM
19 Nov 20253 mins read
TukuTouch Logo
નગર પ્રાથમિક શિક્ષક સંઘ, પ્રાથમિક શાળાના શિક્ષકોના એક માન્ય સંઘે, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) તરીકે પ્રાથમિક શિક્ષકોની સતત અને ફરજિયાત નિમણૂક અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. સંઘે ભારપૂર્વક જણાવ્યું છે કે આ પ્રથા શિક્ષણના અધિકાર કાયદાની કલમ તેમજ ભારતીય બંધારણની કલમ હેઠળ બાળકોના મૂળભૂત શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે નિયુક્ત કરવાથી શિક્ષણ પર ગંભીર અસર : પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ ચિંતા વ્યક્ત કરી

Jamnagar: નગર પ્રાથમિક શિક્ષક સંઘ, પ્રાથમિક શાળાના શિક્ષકોના એક માન્ય સંઘે, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) તરીકે પ્રાથમિક શિક્ષકોની સતત અને ફરજિયાત નિમણૂક અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. સંઘે ભારપૂર્વક જણાવ્યું છે કે આ પ્રથા શિક્ષણના અધિકાર કાયદાની કલમ તેમજ ભારતીય બંધારણની કલમ હેઠળ બાળકોના મૂળભૂત શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

શિક્ષણ પર થઈ રહેલી મુખ્ય અસરો અંગે સંઘના અધ્યક્ષ, ચંદ્રકાંત ખાખરીયાએ જણાવ્યું છે કે, શિક્ષકો રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યા છે, પરંતુ બીએલઓની ફરજોને કારણે તેઓ તેમના મુખ્ય કાર્ય, શિક્ષણ, પર ધ્યાન આપી શકતા નથી. વર્તમાન સઘન પુનરાવર્તન પ્રોજેક્ટ દરમિયાન શિક્ષકો 12 થી 15 કલાક કામ કરી રહ્યા છે. અને આ વધારાનો બોજ અસહ્ય છે.

સંઘ દ્વારા પ્રસ્તુત કરાયેલ મુખ્ય મુદ્દાઓમાં વર્ગખંડમાં વિક્ષેપ, જેમાં મતદાર યાદી ચકાસણી અને સર્વેક્ષણ માટે શિક્ષકોને શાળાના સમય દરમિયાન વારંવાર ગેર હાજર રહેવું પડે છે, જેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં સીધો અવરોધ થાય છે. કાર્ય-જીવન સંતુલનનો અભાવ, બીએલઓની જવાબદારીઓ નિયમિત શાળા સમય પછી પણ લંબાય છે, જેના કારણે શિક્ષકોમાં શારીરિક થાક અને માનસિક તાણ વધે છે. સલામતીના પ્રશ્નો જોઈએ તો ખાસ કરીને મહિલા શિક્ષકો માટે, અજાણ્યા અને દૂરના વિસ્તારોમાં ફરજ બજાવવાને કારણે સલામતી અને પરિવહનની ચિંતાઓ ઊભી થાય છે.

કાયદાકીય વિરોધાભાસ અને પૂર્વ નિર્ણયો અંગે સંઘે નોંધ્યું કે ગુજરાતના સીઈઓ દ્વારા ઓછામાં ઓછા શિક્ષકોની નિમણૂક માટે પત્ર જારી કરવામાં આવ્યો હોવા છતાં, 12 અન્ય કેડરની ઉપલબ્ધતા હોવા છતાં, મોટા ભાગની નિમણૂક શિક્ષકોની જ છે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો તે. અંગે સંઘે જણાવ્યું છે કે સંઘે 2007 ના સિવિલ અરજી સુપ્રીમ કોર્ટ ઑફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાને બીએલઓમાં ફરજમાં શિક્ષકોની ઓછામાં ઓછી નિમણૂક કરવા સૂચન કરવામાં આવ્યું હતું. કાયમી સૂચનાનો ભંગ તેમાં ત્રણ વર્ષ સુધી બીએલઓ તરીકે સતત સેવા આપ્યા પછી શિક્ષકોને મુક્ત કરવાની સ્થાયી સૂચના હોવા છતાં, ઘણા શિક્ષકોને ફરજ બજાવવાની ફરજ પાડવામાં આવી રહી છે.

સંઘ દ્વારા ચૂંટણી પંચને કરાયેલા સૂચનોમાં શિક્ષણના ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સંઘે કેટલાક સુધારાત્મક પગલાં સૂચવ્યા છે. જેમાં સમર્પિત બીએલઓ સ્ટાફ, શાળાના શિક્ષકોને બદલે ફક્ત ચૂંટણી કાર્ય માટે પૂર્ણ-સમય અથવા કરાર આધારિત બીએલઓ કર્મચારીઓની નિમણૂક કરવી. અન્ય વિભાગોનો ઉપયોગ કરવો જેમાં અન્ય સરકારી વિભાગો, નિવૃત્ત કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અથવા તાલીમ પામેલા બેરોજગાર યુવાનોનો ઉપયોગ કરવો. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ભૌતિક સર્વેક્ષણોની જરૂરિયાત ઘટાડવા માટે મતદાર ચકાસણીને ડિજિટલાઇઝ કરવા માટે એજન્સીઓની નિમણૂક કરવી.નગર પ્રાથમિક શિક્ષક સંઘે ભારતીય ચૂંટણી કમિશનરને આ મુદ્દાની ગંભીરતા સમજવા અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા વિનંતી કરી છે.

આ રજૂઆતથી ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝા અને રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને પણ માહિતગાર કરવામાં આવ્યા છે. તેવું ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની યાદીમાં જણાવ્યું છે.