Gujarat
વિશ્વાસઘાતની અરજીમાં આગોતરા જામીન નામંજૂર
By GS TEAM
23 May 20261 min read

ગોરવા પોલીસ સ્ટેશને નોંધાયેલી અરજીના સંદર્ભમાં અરજદાર કલ્પિત અશોકભાઈ સોનીની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.
ફરિયાદીની અરજી મુજબ અરજદારે ફરિયાદી અને તેના ભાઈને બેંક સ્કીમમાં નાણા રોકવા માટે પ્રેરિત કર્યા હતા. સાથે જ ફરિયાદી પાસેથી રૃ. ૨૧ લાખની રકમ મેળવ્યા પછી અરજદારે કાર પાછી લઈ લીધાનો આક્ષેપ છે.
પોલીસને હાલના અરજદાર સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધવા અરજી મળી છે, જે અનુસંધાને પોલીસ દ્વારા અરજદારની પૂછપરછ માટે નોટિસ પાઠવી હતી, છતાં અરજદાર પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા નથી.









