જામનગરના કરોડના કૌભાંડી ફરારી ચાર્ટર્ડ એકાઉન્ટ સામે વધુ એક વેપારી દ્વારા 3.70 કરોડની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર ચાર્ટર્ડ એકાઉન્ટની ઓફિસ ધરાવતા એક સી.એ. દ્વારા કરોડોનું જીએસટી કૌભાંડ કરવામાં આવ્યું છે, કે સંદર્ભમાં ગઈકાલે એક ગુન્હો દાખલ કરાયા બાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે.
જામનગરના હિરજી મિસ્ત્રી રોડ ઉપર બ્રહ્મ એન્ડ એસોસિયેટ નામની ચાર્ટર્ડ એકાઉન્ટની ઓફિસ ધરાવતા અલ્કેશ પેઢડિયા દ્વારા જીએસટી ચોરીનું મસ મોટુ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. અને જીએસટીની ટુકડી સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
જે દરમિયાન ગઈકાલે એક વેપારી દ્વારા પોલીસમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. જે સીલસિલો આજે પણ ચાલુ રહ્યો હતો, અને વધુ એક વેપારી દ્વારા અલ્પેશ પેઢડિયા સામે વધુ એક ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા સંજયભાઈ રસિકભાઈ ચિતારા નામના વેપારીએ પોતાનું એકાઉન્ટ સંભાળતા અલ્કેશ પેઢડીયા સામે 3 કરોડ 70 લાખની વેરા શાખનો પોતાની જાણ બહાર ઉલ્લેખ કરી છેતરપિંડી કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું છે. જે મામલાનો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી કલમ 406 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને એલસીબી ના પી.એસ.આઇ પી.એન. મોરી સમગ્ર મામલાની તપાસ ચલાવી રહ્યા છે.









