Gujarat

જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે 111 પ્રકારના રોટલાનો અલૌકિક અન્નકુટ મહોત્સવ યોજાયો

By GS TEAM
19 Jan 20261 min read
TukuTouch Logo
રાગી, પાલક, સીતાફળ, સ્ટ્રોબેરી, ડ્રાયફુટ સહિત 111 પ્રકારના રોટલા પ્રસાદ તૈયાર કરાયા : જલારામ ભક્તોમાં વિતરણ કરાયું

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે 111 પ્રકારના રોટલાનો અલૌકિક અન્નકુટ મહોત્સવ યોજાયો

Jamnagar Jalaram Temple : દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ, સંત શિરોમણી જલારામ બાપાએ 1876 થી શરુ કરેલા અન્નક્ષેત્ર સેવા યજ્ઞની પ્રેરણાના ભાગરૂપે જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરના આંગણે દર વર્ષે રોટલા અન્નકૂટનું આયોજન કરાય છે. જે પરંપરા અનુસાર આ વખતે પણ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા રોટલા અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. જેમાં 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરાયો હતો.

જામનગરના હાપા જલારામ મંદિરમાં દર વર્ષે અલૌકિક રોટલા અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવે છે. જામનગરમાં 17 જાન્યુઆરીના રોજ સતત 11 માં વર્ષે આ રોટલા અન્નકૂટ ધરાયો હતો. જેમાં મકાઈ, રાગી, મેથી, પાલક, સીતાફળ, સ્ટ્રોબેરી, ડ્રાયફૂટ વિવિધ કઠોળ અને શાકભાજી સહિતના 111 રોટલા બનાવી જલારામ બાપાને ધરવામાં આવ્યા હતા. હાપા જલારામ મંદિર ખાતે રોટલા અન્નકૂટ પાછળનો મુખ્ય હેતુ જલારામ બાપાએ જગાવેલી સેવાની જ્યોતને જાળવી રાખવાનો છે. ભોગ ધરાવેલા વિવિધ રોટલાને મંદિરમાં દર્શને આવતા જલારામ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં જલારામ ભક્તો રોટલા અન્નકોટના દર્શન માટે ઉમટી પડયા હતા.