Gujarat

અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, એક અઠવાડિયાનો સ્ટે, અમિત ખૂંટ આપઘાત કેસમાં ધરપકડની શક્યતા!

By GS TEAM
18 Sep 20251 min read
TukuTouch Logo
ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા આજે (18 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. જેમાં સુપ્રીમ કોર્ટે અનિરૂદ્ધસિંહને એક અઠવાડિયાનો સ્ટે આપ્યો છે. જોકે, અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહની ધરપકડ થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, એક અઠવાડિયાનો સ્ટે, અમિત ખૂંટ આપઘાત કેસમાં ધરપકડની શક્યતા!

Popat Sorathiya Case: ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા આજે (18 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. જેમાં સુપ્રીમ કોર્ટે અનિરૂદ્ધસિંહને એક અઠવાડિયાનો સ્ટે આપ્યો છે. જોકે, અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહની ધરપકડ થઈ શકે છે.

અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી  સ્ટે મળ્યો છે, ત્યારે તેમને એક અઠવાડિયાની રાહત મળી છે. જ્યારે રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ અનિરૂદ્ધસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું અને આ કેસમાં પણ તેમની ધરપકડ થવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. આથી, જૂનાગઢ જેલમાંથી જ ટ્રાન્સફર વોરંટના આધારે રાજકોટ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે.

આ પણ વાંચો: નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટમાંથી મળી રાહત, બીમાર માતાને મળવા માટે 5 દિવસના હંગામી જામીન

શું હતો સમગ્ર મામલો?

ગોંડલમાં 1988માં 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને 1988માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને સરન્ડર થવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટમાંથી કોઇ રાહત મળી ન હતી.