Gujarat

વડોદરામાં ગાજરાવાડીની આંગણવાડી અસામાજિક તત્વોનો અડ્ડો બની : બાળકોમાં ગભરાટ

By GS TEAM
31 Mar 20262 mins read
TukuTouch Logo
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડીઓની સુરક્ષાઓ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. પાલિકા દ્વારા સંચાલિત ગાજરાવાડી વિસ્તારમાં પંપીંગ સ્ટેશન પાસે આવેલ આવી જ આંગણવાડી હાલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ગાજરાવાડીની આંગણવાડી અસામાજિક તત્વોનો અડ્ડો બની : બાળકોમાં ગભરાટ

Vadodara : ગરીબ વર્ગના નાના ભૂલકાઓને ભણતર અને ભોજન મળે અને અક્ષર જ્ઞાન વધવા સહિત નિરક્ષરતા નાબૂદ થાય એવા હેતુથી તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આંગણવાડીઓ ચલાવવામાં આવે છે. જ્યાં ગરીબ વર્ગને પ્રોત્સાહિત કરવા બાળકોને શિક્ષણ સાથે ભોજન પણ ફ્રી આપવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડીઓની સુરક્ષાઓ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. પાલિકા દ્વારા સંચાલિત ગાજરાવાડી વિસ્તારમાં પંપીંગ સ્ટેશન પાસે આવેલ આવી જ આંગણવાડી હાલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.

નાના બાળકો જ્યાં પાયાનું શિક્ષણ મેળવવા આવે છે તે સ્થળ હવે નશાખોરો અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ભય વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આંગણવાડીની આસપાસ અને આંગણવાડી પરિસરમાં અસામાજિક તત્વો દિવસ-રાત જમાવડો કરે છે આવા તત્વો દ્વારા આંગણવાડીના કંપાઉન્ડમાં નશા ની ચીજ વસ્તુઓનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવે છે. જેના પુરાવા તરીકે દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થોના અવશેષો અવારનવાર મળી આવે છે જ્યારે દારૂની પોટ ખાલી પોટલીઓ રાત્રિના સમયે રોજીંદી જોવા મળે છે.

આ સ્થળે અંધકારનો લાભ લઈને ગુનાઇત માનસ ધરાવતા નસેડીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે આ પરિસ્થિતિના કારણે આંગણવાડીમાં આવન જાવન કરતાં નાના બાળકો અને ફરજ બજાવતી મહિલા કાર્યકરોની સુરક્ષા જોખમાઇ છે. બાળકોના વાલીઓ પણ હવે પોતાના સંતાનોને આંગણવાડીમાં મોકલતા દર સાથે ખચકાટ અનુભવી રહ્યા છે આંગણવાડીની દીવાલો પર અશ્લીલ લખાણો લખવા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ પણ વારંવાર બનતી જોવા મળે છે સ્થાનિક રહીશોની માંગ છે કે પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ ચુસ્તતાથી કરવામાં આવે અને પાલિકા તંત્ર આંગણવાડીની ચારે બાજુ મજબૂત ફેન્સીંગ કે સીસીટીવી કેમેરા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવે જો વહેલી તકે આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ મોટી અપ્રિય ઘટના બની શકે છે.