BCAમાં આંતરિક રાજકારણ : બરોડા પ્રીમિયર લીગના ચેરમેનપદેથી અનંત ઇન્દુલકરનું રાજીનામું
Vadodara : Vadodara : બરોડા પ્રીમિયર લીગના ચેરમેનપદેથી અનંત ઇન્દુલકરે રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં તેમની નિમણૂક થઈ હતી. પરંતુ બીસીએના આંતરિક રાજકારણના કારણે તેમણે હોદ્દો છોડી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
બરોડા ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ બરોડા પ્રીમિયર લીગનું આયોજન થવા જઈ રહ્યું છે અને બીસીએ દ્વારા બરોડા પ્રીમિયર લીગના ચેરમેન તરીકે અનંત ઈન્દુલકરની નિમણૂક થોડા દિવસ પૂર્વે કરવામાં આવી હતી. આ નિમણૂકને હજુ માત્ર 15 દિવસ જેટલો સમય થયો છે ત્યાં બરોડા પ્રીમિયમ પ્રીમિયર લીગના ચેરમેન તરીકે અનંત ઈન્દુલકરે રાજીનામું આપી દીધું છે. ચાલતી ચર્ચા મુજબ અપેક્ષ કમિટીના કેટલાક નિર્ણયથી અનંત ઇન્દુલકર નારાજ હોવાથી તેમણે રાજીનામું ધર્યું હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, બરોડા ક્રિકેટ એસોસિએશન અને ક્રિકેટના ખેલાડીઓના હિત માટે અનંત ઇન્દુલકરે ખૂબ કામ કર્યું છે. તાજેતરમાં ક્રિકેટરોને પેન્શન આપવાનો જે નિર્ણય થયો હતો. તેમાં તેમની સકારાત્મક ભૂમિકા રહી હતી.