જામનગરમાં બેડી બંદર રોડ પર જૂની અદાવતના મન દુઃખમાં એક બુઝુર્ગ અને તેના પુત્ર પર હુમલો: ત્રણ સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં બેડીબંદર રોડ પર રહેતા એક બુઝુર્ગ અને તેના પુત્ર ઉપર જુની અદાવત નું મનદુઃખ રાખીને ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. આ ઉપરાંત સામા પક્ષે પણ હુમલા અંગેની વળતી ફરિયાદ નોંધાવાઇ છે.
જામનગર શહેરના બેડી બંદર રીંગ રોડ વિસ્તારમાં જૂના વિવાદને લઈને હુમલાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, તા. 27/03/2026ના રોજ રાત્રે આશરે 11:00 વાગ્યાના સમયે સરકાર હોટલ પાછળ, ભકિતનગર વોરા બિલ્ડિંગ પાસે ચોક વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. બે દિવસ અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો.
ફરિયાદી અલ્લારખાભાઈ મામદભાઈ બેલીમ નામના 63 વર્ષના બુઝુર્ગ ના પરિવારજનો આરોપીઓને સમજાવવા જતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ફરીયાદીને ડાબા પગના સાથળમાં તેમજ ગોળામાં માર મારી ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડી હતી.
આ ઉપરાંત ફરીયાદીના દીકરા વસીમ અને પૌત્ર મોઇનુદીનને પણ પાઇપ વડે માર મારતા તેમને ઈજાઓ પહોંચી હતી. આરોપીઓએ ગાળો આપી એકબીજાની મદદથી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવમાં રેહાન હુસેન સમા, હુસેન ઇસુબ સમા અને આરીફ અબ્દુલ શેખના નામ સામે આવ્યા છે અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 117(2), 115(2), 352, 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
આ ઉપરાંત સામાપક્ષે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ફરિયાદી અફસાનાબેનના દીકરા ફેઝાન અને આરોપીના દીકરા વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ બાબતે ફરિયાદી અને તેમના પરિવારજનો આરોપીઓ સાથે વાતચીત કરવા જતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ ફરીયાદી, તેમના પતિ અને પરિવારજનોને ગાળો આપી લાકડીઓથી માર માર્યો હતો, જેમાં તેમને ઈજાઓ પહોંચી હતી.
આ બનાવમાં આરોપી તરીકે હુશેનભાઈ અલારખા બેલીમ, અલારખાભાઈ મામદભાઈ બેલીમ અને વસીમભાઈ અલારખાભાઈ બેલીમના નામ સામે આવ્યા છે.
આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 352, 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.









