અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot News : સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના મીતીયાળા અભયારણ્ય અને ગામ પાસે ફોલ્ટલાઈન ફરી સક્રિય થઈ છે. આજે સવારે 11.53 વાગ્યે 2.6 અને ગઈકાલે સાંજે 04.10 વાગ્યે 3.1ની તીવ્રતાના બે તેમજ અન્ય હળવા આંચકાથી ધરતી ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. હાઈડ્રોલોજીકલ લોડીંગ અર્થાત્ પાણીના ભૂગર્ભમાં આવતા દબાણ જેનું એક કારણ રહ્યું છે. તે સ્વાર્મ પ્રકારના એટલે કે ઝૂંડમાં આવતા ભૂકંપો માટે આ વિસ્તાર સૌથી સંવેદનશીલ રહ્યો છે અને તાજેતરમાં ભારે માવઠાં બાદ ફરી આંચકાનો સિલસિલો શરુ થયો છે.
અમરેલીમાં આંચકાનો સિલસિલો
સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક જ કેન્દ્રબિંદુએ જમીનની ઉપરી સપાટીએ 3.1, 2.6 ના તીવ્ર ભૂકંપોથી લોકો ઘર બહાર દોડ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે, આ બંન્ને ભૂકંપોનું કેન્દ્રબિંદુ બરાબર એક જ સ્થળે અમરેલીથી 42 કિ.મી. દક્ષિણ-પૂર્વ દિશાએ સાવરકુંડલા અને ખાંભા વચ્ચે વાંકિયા ગામ નજીક મીતીયાળા પાસે નોંધાયું છે. જો કે બન્ને ભૂકંપો જમીનની ભીતર જુદી જુદી સપાટીએ 6.1 અને 11.6 કિ.મી. ઊંડાઈએ નોંધાયા છે. આ પહેલા એકવાર આ વિસ્તારમાં શ્રેણીબદ્ધ ભૂકંપો અને સાથે ભેદી અવાજોથી ડરનો માહોલ સર્જાયો હતો અને ત્યારે સિસ્મોલોજી વિભાગની ટીમે સમગ્ર મામલે સંશોધન શરૂ કર્યું હતું.

સ્વાર્મ અને અન્ય ભૂકંપ વચ્ચે મુખ્ય તફાવત શું છે
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આવતા સ્વાર્મ અર્થક્વેક અને કચ્છમાં મુખ્ય ફોલ્ટલાઈનના ભૂકંપ વચ્ચે કેટલાક તફાવત છે.
1. અન્ય ભૂકંપ આવ્યા પછી ઓછી તીવ્રતાના આફ્ટરશોક આવે છે જ્યારે સ્વાર્મમાં લગભગ સરખા મેગ્નીટ્યુડના આંચકાઓ આવે છે.
2. મુખ્ય ભૂકંપ દૂર દૂર સુધી અસર ફેલાવે છે, સ્વાર્મનો વિસ્તાર ખુબ જ સીમિત હોય છે.
3. કચ્છનો મહાભૂકંપ યુરેશિયન પ્લેટ નીચે ભારતીય પ્લેટ ઉત્તર તરફ ખસે છે તે કારણ હોય છે ત્યારે સ્વાર્મ માટે ધરતીના પેટાળમાં પાણી કે મેગ્મા જતા ઉર્જા મુક્ત થતી હોય છે તેના કારણે આવે છે.
4. ભૂકંપ 4, 5 કે વધુ તીવ્રતાનો હોય છે ત્યારે સ્વાર્મ મોટાભાગે ૩થી ઓછી તીવ્રતાના હોય છે પરંતુ, થોડા સમયમાં ઉપરાઉપરી આવે છે.








