Gujarat

અમરેલી: ધારીના ગોવિંદપુરમાં મહિલાને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઈ

By GS TEAM
17 Feb 20261 min read
TukuTouch Logo
ગીરના સરહદી ગામોમાં વન્ય પ્રાણીઓના માનવ પરના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. અમરેલીના ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં એક સિંહણે આંબાના બગીચામાં કામ કરી રહેલી મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: ધારીના ગોવિંદપુરમાં મહિલાને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઈ

Amreli News: ગીરના સરહદી ગામોમાં વન્ય પ્રાણીઓના માનવ પરના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. અમરેલીના ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં એક સિંહણે આંબાના બગીચામાં કામ કરી રહેલી મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

બગીચામાં કામ કરતી વેળાએ ત્રાટકી સિંહણ

મળતી વિગત માહિતી અનુસાર,, ગોવિંદપુર ગામની સીમમાં આવેલા આંબાના બગીચાનો ઈજારો રાખનાર મહિલા જ્યારે બગીચામાં કામ કરી રહી હતી, ત્યારે અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. સિંહણે મહિલાને ગળાના ભાગે પકડી પાડી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

વન વિભાગએ સિંહણ પાંજરે પુરી

ઘટનાની જાણ થતા જ ધારી વન વિભાગનો કાફલો તાત્કાલિક ગોવિંદપુર દોડી ગયો હતો. માનવભક્ષી બનેલી આ સિંહણને પકડવા માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક અલગ-અલગ વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગની સતત મહેનતને અંતે હુમલાખોર સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી છે.