Gujarat

૨૭૦૯ આવાસો અને ૭દુકાનોની ડ્રો દ્વારા ફાળવણી

By GS TEAM
11 Dec 20251 min read
૨૭૦૯ આવાસો અને ૭દુકાનોની ડ્રો દ્વારા ફાળવણી

મ્યુ.કોર્પોરેશન દ્વારા બીલ, ભાયલી, સેવાસી, અટલાદરા અને કલાલી વિસ્તારોમાં પ્રધાનમંત્રી અને રાજીવ આવાસ યોજના અંતર્ગત નવનિર્મિત અને ખાલી પડેલા કુલ ૨૭૦૯ મકાનો તથા ૭ દુકાનોની ફાળવણી માટેનો ડ્રો રાજ્ય સરકારના મુખ્ય દંડક અને મેયરના હસ્તે યોજાયો હતો.

સાથે જ આગામી સમયમાં શહેરમાં વધુ ૩૦ હજાર નવા મકાનોના નિર્માણની જાહેરાત પણ કરાઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોને મળીને અંદાજે ૪ કરોડ આવાસો પૂર્ણ થયા છે. હવે બીજા તબક્કામાં શહેરી વિસ્તારોમાં વધારાના ૧ કરોડ આવાસોના નિર્માણનો લક્ષ્યાંક છે.