ગુજરાતના તમામ અભયારણ્ય ચાર મહિના સુધી બંધ રહેશે
નળસરોવર પક્ષી અભયારણ્ય સહિત
16 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રાણીઓનો સંવનનનો સમયગાળો હોવાથી બંધ રહેશે
સાણંદ - ગુજરાતના તમામ ૨૭ અભ્યારણો દર વર્ષે ૧૬ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી સસ્તન પ્રાણીઓનો સંવનનનો સમયગાળો હોવાથી એમને ખલેલ ન પડે એ માટે પ્રવાસીઓ માટે સદંતર બંધ રાખવામાં આવે છે. જે અંગે ચાલુ વર્ષે વન સંરકક્ષકની કચેરી ગાંધીનગરે જાહેરનામુ બહાર પાડી તમામ અભ્યારણ્યો પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યા છે.
હાલમાં જ અગ્ર મુખ્ય વન સંરકક્ષકની કચેરી ગાંધીનગરના તારીખ ૧૦-૦૬-૨૦૨૫ના પત્ર અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાથ ૧૬ જૂન,૨૦૨૫ થી ૧૫ ઓકટોબર,૨૦૨૫ સુધી ગુજરાતમાં આવેલ તમામ અભયરણ્યો પ્રવાસીઓ માટે બંધ રહેશે. તેવોએ આ બાબતે વધુ ઉમેરતા કહેલ કે આ સમયગાળો અનેક સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિ માટે પ્રજનનકાળ (સંવનન) હોય છે જેમાં અવરોધ થવાની શક્યતાઓને ધ્યાને લેતા ગુજરાતનાં તમામ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓને પ્રવેશ આપવાની મનાઈ ફરમાવી છે. ૧૬ ઓકટોબર ૨૦૨૫ બાદ ઉપરોક્ત સ્થળો પર પ્રવાસીઓને જવાની છૂટ રહેશે. આથી સાણંદ ખાતે આવેલ નળસરોવર પક્ષી અભયારણ્ય પણ ૧૨૦ દિવસ બંધ રહેશે.