Gujarat
બ્રહ્માકુમારીઝ દ્વારા અખિલ ભારતીય રક્તદાન મહાઅભિયાન
By GS TEAM
23 Aug 20251 min read

બ્રહ્માકુમારીઝ
સંસ્થા દ્વારા દાદી પ્રકાશમણિજીની ૧૮મી પુણ્યતિથિના અવસરે સમગ્ર ભારતમાં અખિલ
ભારતીય રક્તદાન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ
દિવસે એક લાખથી વધુ રક્તદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો
છે. સંસ્થાના રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ
ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ “સમાજ સેવા વિભાગ”ના સૌજન્યથી આ રાષ્ટ્રીય રક્તદાન ઝુંબેશ
યોજાઈ રહી છે. આ રક્તદાન શિબિર ૨૨ થી ૨૫ ઓગસ્ટના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી સમગ્ર ભારતના ૬૦૦૦ જેટલા તમામ
બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રોમાં યોજાશે.









