Get The App

બ્રહ્માકુમારીઝ દ્વારા અખિલ ભારતીય રક્તદાન મહાઅભિયાન

વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો સંકલ્પ

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
બ્રહ્માકુમારીઝ દ્વારા અખિલ ભારતીય રક્તદાન મહાઅભિયાન 1 - image


બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા દાદી પ્રકાશમણિજીની ૧૮મી પુણ્યતિથિના અવસરે સમગ્ર ભારતમાં અખિલ ભારતીય રક્તદાન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ દિવસે એક લાખથી વધુ રક્તદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. સંસ્થાના રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ સમાજ સેવા વિભાગના સૌજન્યથી આ રાષ્ટ્રીય રક્તદાન ઝુંબેશ યોજાઈ રહી છે. આ રક્તદાન શિબિર ૨૨ થી  ૨૫ ઓગસ્ટના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૩:૦૦  વાગ્યા સુધી સમગ્ર ભારતના ૬૦૦૦ જેટલા તમામ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રોમાં યોજાશે. 

Tags :