Gujarat
શહેરના તમામ ૭૦ ટ્રાફિક સિગ્નલ હવે ૨૪ કલાક કાર્યરત રહેશે
By GS TEAM
23 Nov 20251 min read

મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરી હદ વિસ્તારમાં આવેલા કુલ ૭૦ ટ્રાફિક સિગ્નલો હવે ૨૪ કલાક કાર્યરત રાખવા નિર્ણય કરાયો છે.
મ્યુ. કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે, રાત્રિના સમયમાં અનેક જંકશનો પર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હતી. સિગ્નલો સતત કાર્યરત રહેશે તો નાગરિકોને વધુ સુવિધાજનક વાહન વ્યવહાર મળશે. રાત્રિના સમયમાં સિગ્નલ ચાલુ રહેતા અકસ્માતોના બનાવોમાં ઘટાડો થશે. આ ઉપરાંત મ્યુ. કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં ટ્રાફિક ભારણવાળા ૧૦ જંક્શનો ખાતે નવા આધુનિક ટ્રાફિક સિગ્નલ મૂકાશે. વૈજ્ઞાનિક પદ્ધતિથી સિગ્નલ સંચાલન થવાના પરિણામે વાહનોને બિનજરૂરી ઊભા રહેવું નહીં પડે, જેથી હવા પ્રદૂષણ ઘટવા સાથે ઈંધણની બચત થશે.








