Gujarat
વિશ્વ વિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ચરણસ્પર્શ મહોત્સવ
By GS TEAM
13 Apr 20261 min read

ચરણ સ્પર્શથી દરિદ્રતા દૂર થતી હોવાની આસ્થા : ગર્ભગૃહમાં સવારે 6થી રાતના 8 વાગ્યા સુધી ભક્તોને પ્રવેશ : તડામાર તૈયારીઓનો પ્રારંભ
પોરબંદર, : પોરબંદર સ્થિત વિશ્વ વિખ્યાત સુદામા મંદિરે યોજાનાર અખાત્રીજ ચરણ સ્પર્શ મહોત્સવને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મહંત પરિવાર દ્વારા ભક્તોને ઉત્તમ સુવિધા મળે તે માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તા. 19, રવિવારના રોજ અખાત્રીજના પાવન દિવસે વહેલી સવારે 6 વાગ્યાથી નિજ મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે, જે રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. વર્ષમાં માત્ર એક જ વખત મળતા આ પવિત્ર અવસરે દેશ-વિદેશમાંથી આવનારા હજારો સુદામાભક્તોને ભગવાન શ્રીકૃષ્ણના અખંડ મિત્ર શ્રી સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો દિવ્ય લ્હાવો મળશે.








