Gujarat

રાજકોટના હિરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન બર્ડ હિટ, એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

By GS TEAM
9 Jun 20262 mins read
TukuTouch Logo
રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. રાજકોટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન અચાનક પક્ષી અથડાવાની (બર્ડ હિટ) ઘટના સામે આવી હતી. આ અકસ્માતને પગલે વિમાનમાં તાત્કાલિક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જોકે, પાયલોટે ભારે સતર્કતા અને કુશળતા દાખવીને ફ્લાઇટનું હિરાસર એરપોર્ટ પર જ સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવી લેતા એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટના હિરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન બર્ડ હિટ, એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

Bird Hit Incident In Rajkot Airport: રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. રાજકોટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન અચાનક પક્ષી અથડાવાની (બર્ડ હિટ) ઘટના સામે આવી હતી. આ અકસ્માતને પગલે વિમાનમાં તાત્કાલિક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જોકે, પાયલોટે ભારે સતર્કતા અને કુશળતા દાખવીને ફ્લાઇટનું હિરાસર એરપોર્ટ પર જ સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવી લેતા એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

એન્જિનના પંખાની બ્લેડને ભારે નુકસાન

મળતી માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા. વિમાન રનવે પરથી હવામાં ફંટાયું કે તુરંત જ એક પક્ષી સીધું એન્જિનના પંખા સાથે અથડાયું હતું. પક્ષી ખૂબ જ સ્પીડમાં અથડાવાને કારણે વિમાનના એન્જિન ફેનની બ્લેડને મોટું નુકસાન પહોંચ્યું હતું. પક્ષી અથડાવાની સાથે જ પાયલોટને એન્જિનમાં ટેક્નિકલ ખામી અને ક્ષતિ સર્જાઈ હોવાની ચેતવણી મળી ગઈ હતી.

આ પણ વાંચો: જમીન ખાલી કરો, નહીં તો દંડ થશે: હાઇકોર્ટે પૂર્વ ક્રિકેટર અને MP યુસુફ પઠાણનો ઉધડો લીધો

પાયલોટની કુશળતાથી ટળી દુર્ઘટના

હવામાં જ એન્જિનમાં ખામી સર્જાતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ પાયલોટે જરાય ગભરાયા વિના સમયસૂચકતા વાપરીને વિમાન પર કાબૂ મેળવ્યો હતો અને તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કરીને વિમાનને સુરક્ષિત રીતે રનવે પર પાછું ઉતારી લીધું હતું. પાયલોટની આ ત્વરિત કામગીરીના કારણે દુર્ઘટના થતાં અટકી ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં એર ઈન્ડિયાના વિમાનના પંખા (એન્જિન ફેન બ્લેડ) વિસ્તારમાં મોટું નુકસાન થયું હોવાની વિગતો એન્જિનિયરો દ્વારા સામે આવી છે અને હાલ વિમાનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.