Gujarat

સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ

By GS TEAM
15 May 20262 mins read
TukuTouch Logo
આજે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીના મૂલ્યોના નામે ચરી ખાતા સત્તાધીશો પાછલા બારણે આવા મહાનુભાવોએ પ્રજાને આપેલી સુવિધાઓ છીનવી રહ્યા છે. એલિસબ્રિજ પાસે આવેલી 95 વર્ષ જૂની 1200માંથી 200 બેડની બનાવી મ્યુનિ.એ તેને મરણશૈયાએ પહોંચાડી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ
 AI IMAGE

V.S. Hospital Ahmedabad History: આજે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીના મૂલ્યોના નામે ચરી ખાતા સત્તાધીશો પાછલા બારણે આવા મહાનુભાવોએ પ્રજાને આપેલી સુવિધાઓ છીનવી રહ્યા છે. એલિસબ્રિજ પાસે આવેલી 95 વર્ષ જૂની 1200માંથી 200 બેડની બનાવી મ્યુનિ.એ તેને મરણશૈયાએ પહોંચાડી દીધી છે. જેની સખાવતથી હોસ્પિટલ બની હતી તેવા શેઠ વાડીલાલ સારાભાઈના ઋણનો પણ આજે હોસ્પિટલમાં કોઈ ઉલ્લેખ નથી. તેની સામે સરદારના નામે નવી કોર્પોરેટ એસવીપી (SVP) હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે.

સરદારના નામે ચલાવાતી એસવીપી હોસ્પિટલમાં હોટલની જેમ ડિલક્સ, સ્યૂટ રૂમ!

વીએસના પરિસરમાં ઊભી કરાયેલી એસવીપી હોસ્પિટલ આમ તો અમદાવાદ મ્યુનિ.ના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. પરંતુ ત્યાંની આરોગ્ય સેવાઓના ભાવ સાંભળી જરૂરિયાતમંદ દર્દી ત્યાં પગ મૂકવાનું પણ વિચારી શકે નહીં. ઉપરાંત હોસ્પિટલમાં હેલિપેડની સુવિધા છે. હવે ગરીબ દર્દીઓ અહીં હેલિકોપ્ટરમાં આવશે! આટલું જ નહીં, દર્દી દાખલ થાય ત્યારે અમુક ટકા એડવાન્સ પેમેન્ટ કરવાની શરત છે.

આ પણ વાંચો : મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3-3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો

સરદારની અપીલ અને દાન

1932માં સરદારની અપીલથી શેઠ વાડીલાલ સારાભાઈએ ચાર લાખ રૂપિયા અનુદાન આપી આ હોસ્પિટલ બંધાવી હતી. કોરોનાની જેમ વર્ષ 1915થી 1925 દરમિયાન અમદાવાદમાં પ્લેગ અને ઈન્ફલ્યુએન્ઝા જેવી મહામારી ફાટી નીકળી હતી. ત્યારે પ્રજાને આરોગ્યની સુવિધાઓ આપવા તત્કાલીન મેયર સરદાર પટેલ દ્વારા શેઠ વાડીલાલ સારાભાઈ પાસે અપીલ કરવામાં આવી હતી. શેઠ વાડીલાલ સારાભાઈએ આપેલા ચાર લાખ રૂપિયાના દાનમાંથી એલિસ બ્રિજ પાસે હોસ્પિટલ બનાવી તેને વાડીલાલ સારાભાઈનું નામ અપાયું હતું.

84 બેડથી શરૂ થઇ હતી હોસ્પિટલ

84 બેડ સાથે શરૂ કરાયેલી વીએસ હોસ્પિટલમાં ધીમે ધીમે 1200 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. 1200 બેડની હોસ્પિટલ આજે માત્ર 200 બેડની થઈ ગઈ છે. મ્યુનિ.નું બજેટ આસમાને પહોંચ્યું છે, પરંતુ દર વર્ષે વીએસ હોસ્પિટલનું બજેટ 15થી 20 ટકા ઘટાડી દેવાય છે.

ગાંધી-સરદારના વારસાને જીવતા રહેવા દેવા સારાભાઈ પરિવાર દ્વારા અપીલ

વર્ષ 2018-19 માં જ્યારે વીએસ હોસ્પિટલમાં બેડની સંખ્યા ઘટાડી 300 ખાટલા નવી બનાવેલી એસવીપી હોસ્પિટલમાં ખસેડવાનું આયોજન કરાયું, ત્યારે શેઠ વાડીલાલ સારાભાઈના પ્રપૌત્ર દ્વારા પિટિશન કરાઈ હતી. પરિવારના સભ્યોએ પીએમ અને સીએમને અપીલ કરી છે કે આ વારસાને જીવતો રહેવા દો.