Gujarat

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પાયલટની ભૂલને કારણે થઈ? દાવા અને અટકળો પર સરકારનો સ્પષ્ટ જવાબ

By GS TEAM
12 Feb 20262 mins read
TukuTouch Logo
12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ ઍરપોર્ટ પરથી ટેક ઑફ થતાં જ ક્રેશ થઈ ગઈ હતી. અત્યારે AI 171ના વિમાન દુર્ઘટની તપાસને લઈને અનેક અટકળો ચાલી રહી છે તેવામાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુ૦રો(AAIB)એ સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. જેમાં મીડિયામાં આવેલા કેટલા રિપોર્ટ્સ વેરીફાઇડ નથી તેમજ અનુમાન પર આધારિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પાયલટની ભૂલને કારણે થઈ? દાવા અને અટકળો પર સરકારનો સ્પષ્ટ જવાબ

Ahmedabad Plane Crash: 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ ઍરપોર્ટ પરથી ટેક ઑફ થતાં જ ક્રેશ થઈ ગઈ હતી. અત્યારે AI 171ના વિમાન દુર્ઘટની તપાસને લઈને અનેક અટકળો ચાલી રહી છે તેવામાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુ૦રો(AAIB)એ સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. જેમાં મીડિયામાં આવેલા કેટલા રિપોર્ટ્સ વેરીફાઇડ નથી તેમજ અનુમાન પર આધારિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

'અંતિમ તપાસ રિપોર્ટની રાહ જુઓ'

AAIBએ કહ્યું છે કે આ વિમાન દુર્ઘટનાની તપાસ હજુ ચાલુ છે તે પૂર્ણ થઈ નથી. આ સમયે કોઈ પણ વ્યક્તિ કે કારણને ગુનેગાર ગણી લેવું તે યોગ્ય નથી. મીડિયા અને લોકોને અપીલ કરતાં કહ્યું કે તે સત્તાવાર નિવેદન અને અંતિમ તપાસ રિપોર્ટની રાહ જુએ.

'કોમ્પ્લેકસ અને ટેકનિકલ પ્રક્રિયા'

વધુમાં ઉમેર્યું કે, વિમાન દુર્ઘટનાની તપાસ એક કોમ્પ્લેકસ અને ટેકનિકલ પ્રક્રિયાથી થયા છે, જેમાં ફ્લાઇટ ડેટા રૅકોર્ડર, કોકપિટ વોઇસ રૅકોર્ડરની સમીક્ષા, ટેકનિકલ વિશ્લેષણ, હવામાનની સ્થિતિ સહિત અન્ય ઘણા મુદ્દા પર ગહન રીતે અધ્યયન થાય છે. જેથી તપાસ પૂરી થયા પહેલા ઉતાવળે કોઈ પણ નિર્ણય પર પહોંચી શકાય નહીં 

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ હવે વધારાના દસેક લાખ લો અને કેસ પતાવો... એર ઇન્ડિયાની પીડિતોને ઓફર

AAIBએ ફરી જણાવ્યું કે તપાસ સંપૂર્ણ રીતે પારદર્શક અને પ્રોફેશનલ રીતે કરવામાં આવી રહી છે. AI 171 દુર્ઘટનાની તપાસમાં સ્થિતિની સમીક્ષા થઈ રહી છે. સંબંધિત તથ્યોનું અધ્યયન કરીને સત્તાવાર નિર્ણય લેવાશે ત્યારે શેર કરવામાં આવશે. 

ઈટાલીના અખબાર કરાયો હતો દાવો

જણાવી દઈએ ઈટાલીના અખબારમાં Corriera Della Seraના એક રિપોર્ટના હવાલામાં દાવો કરવામાં આવ્યો છે અમદાવાદમાં જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તે કોઈ ટેકનિકલ ખામીને કારણે નહીં પણ 'જાણી જોઈને કરવામાં આવેલી હરકત'નું પરિણામ હતું