Gujarat

અમદાવાદના નિકોલમાં વરસાદી પાણીનો ત્રાસ, એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા એક યુવકે જીવ ગુમાવ્યો

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરમાં બુધવાર (18મી જૂન)ની રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે અમદાવાદના નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. આ દરમિયાન એક વ્યક્તિના ઘરમાં પાણી ભરાઇ જતાં પગ લપસતાં પડી ગયો હતો. જેથી પરિવારે 108 એમ્બ્યુલન્સ કરી હતી પરંતુ એમ્બ્યુલન્સ પહોંચી શકે એવી સ્થિતિ ન હોવાથી સમયસર સારવાર ન મળતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના નિકોલમાં વરસાદી પાણીનો ત્રાસ, એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા એક યુવકે જીવ ગુમાવ્યો


Rain in Nikol: રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરમાં બુધવાર (18મી જૂન)ની રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે અમદાવાદના નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. આ દરમિયાન એક વ્યક્તિના ઘરમાં પાણી ભરાઇ જતાં પગ લપસતાં પડી ગયો હતો. જેથી પરિવારે 108 એમ્બ્યુલન્સ કરી હતી પરંતુ એમ્બ્યુલન્સ પહોંચી શકે એવી સ્થિતિ ન હોવાથી સમયસર સારવાર ન મળતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં બુધવારે રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં નિકોલના મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોરના મકાનોમાં બે ફૂટ સુધી પાણી ભરાઇ ગયા હતા. ત્યારે મધુમાલતી આવાસ યોજના મકાનમાં રહેલા જીતુભાઇ પંડ્યાના ઘરમાં પણ પાણી ભરાઇ જતાં તે લપસી પડ્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરતાં 108ની ટીમ દોડી આવી હતી. 

જોકે ભારે વરસાદના લીધે પાણી ભરાઇ જતાં એમ્બ્યુલન્સ સોસાયટીમાં આવી શકી ન હતી. જેથી સ્થાનિકોએ જીતુભાઇને લારીમાં બેસાડી બહાર ઉભેલી એમ્બ્યુલન્સ સુધી લઇ ગયા હતા. જોકે એમ્બ્યુલન્સ કર્મચારીએ તપાસ કરતાં તેમનું નિધન થયું હોવાની જાણ કરી હતી. આ સાંભળીને પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે દર વર્ષે અમદાવાદના સામાન્ય વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતા હોવાથી સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના મુખ્ય માર્ગો અને રોડ રસ્તા પર પાણી ફરી વળતાં વાહન ચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે. તેમછતાં તંત્રની ઉંઘ ઉડતી નથી અને વરસાદી પાણી યોગ્ય નિકાલ માટે કોઇ વ્યવસ્થા ઉભી કરવામાં આવતી નથી. 

મોડી રાત્રે વરસાદ પડવાના લીધે એસ. જી. હાઈવે, જોધપુર, વેજલપુર, વસ્ત્રાપુર, નહેરુનગર, પાલડી, વાસણા, જુહાપુરા, મકરબા, સરખેજ, નવાપુરા, ચાંગોદર, સાણંદ, બોપલ, શેલા અને શિલજ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે  શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક અંડરપાસમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા.