Gujarat

અમદાવાદમાં લારી-ગલ્લા સહિત 4000થી વધુના દબાણો દૂર કરાયા, 9 લાખનો દંડ પણ વસૂલ્યો

By GS TEAM
17 Feb 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે સતત 8 દિવસ દરમિયાન શહેરનાં દબાણો દૂર કાર્યવાહી હાથ ધરી, જેમાં શહેરનાં સાત ઝોનમાંથી 546 લારી-ગલ્લા અને 842 દંડ કરેલા વાહનો, જાહેર રસ્તા પર જાહેરાતનાં 1435 બોર્ડ અને 4216 અન્ય પરચૂરણ સામાન દૂર કરી જાહેર રસ્તા ખુલ્લા કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં લારી-ગલ્લા સહિત 4000થી વધુના દબાણો દૂર કરાયા, 9 લાખનો દંડ પણ વસૂલ્યો

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે સતત 8 દિવસ દરમિયાન શહેરનાં દબાણો દૂર કાર્યવાહી હાથ ધરી, જેમાં શહેરનાં સાત ઝોનમાંથી 546 લારી-ગલ્લા અને 842 દંડ કરેલા વાહનો, જાહેર રસ્તા પર જાહેરાતનાં 1435 બોર્ડ અને 4216 અન્ય પરચૂરણ સામાન દૂર કરી જાહેર રસ્તા ખુલ્લા કર્યા છે.

ટ્રાફિકની સમસ્યા હળવી થશે

ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા શહેરના વિવિધ ઝોનમાંથી દબાણો દૂર કરીને રૂ. 8,96,200 નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન કુલ 546 લારી-ગલ્લા, 247 દૂર કરાયેલા શેડ, 899 તાડપત્રી, 4216 દૂર કરાયેલ અન્ય પરચૂરણ માલ સામાનની સંખ્યા, 1435 જાહેર રસ્તા પર જાહેરાતનાં બોર્ડ, 830 લોક કરેલા વાહનો, ગેર કાયદેસર પાર્ક થયેલ વાહનોને ટોઇંગ કરેલ 5 વાહનો, તેમજ 842 દંડ કરેલા વાહનો પર એક્શન લેવામાં આવ્યા છે. 


કયા કયા વિસ્તારમાં દબાણો દૂર?

પશ્ચિમ ઝોનમાં ગોલ્ડન ટ્રાયએન્ગલ, સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડન અંડરપાસ, રેલ્વે લાઇન સુધીનો જાહેર રસ્તો, સરદાર પટેલ સ્ટેચ્યુ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા, શાસ્ત્રીનગર વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી થઇ હતી. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ ઘાટલોડિયાથી ચાણક્યપુરી રોડ થઈ ગુજરાત હાઈકોટ કોમ્પ્લેક્સ સુધીનો રસ્તો તેમજ રન્નાપાર્કથી પ્રભાત ચોક સુધી, જજીસ બંગલો રોડ પકવાન ચાર રસ્તાથી માનસી સર્કલ થઈ કેશવબાગ સુધીનો રોડ, ઈસ્કોન ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા થઇ થલતેજ ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તાથી વૈષ્ણોદેવી સર્કલ સુધી ઉત્તર પશ્ચિમ ઝોનના ઉપરોક્ત રૂટ સિવાયના અન્ય વિસ્તારોમાં કામગીરી થઇ હતી. ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ ઝોન કેન્યુગ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તાથી સર્કલ પી., પ્રહલાદનગર એસ.જી. હાઈવે, ઈસ્કોન સર્કલથી ઉજાલા સર્કલ સુધીનો એસ.જી. હાઈવે, પી.આઈ.એલ. અંતર્ગત અન્ય કામગીરી કરેલી છે. 


મધ્ય-પૂર્વ-ઉત્તર ઝોનમાં દબાણો સાફ

પૂર્વ ઝોનમાં હસ્તિનાપુર સોસાયટી, હાટકેશ્વર સર્કલ રોડ, રબારી કોલોની, મેટ્રો, સદગુરુ ગાર્ડનથી નિકોલ, સોનીની ચાલી, સારંગપુર બ્રિજ થી બાસલોના સર્કલ, ઠક્કરબાપાનગર ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા પર દબાણો દૂર કરાયા હતા. મધ્ય ઝોનમાં જમાલપુર ફૂલ બજાર, APMC માર્કેટ, ગીતા મંદિર, સારંગપુર, કાલુપુર રેલ્વે સ્ટેશન, કાલુપુર ફુટ માર્કેટ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, શાહપુર મેટ્રો સ્ટેશન, ગાંધી બ્રિજથી AMC ઓફિસ, તેમજ માણેકચોક થી ત્રણ દરવાજા થી પાનકોર નાકા સુધી, ત્યારબાદ AMC ઓફિસથી ભદ્ર પરિસર સ્ટેન્ડબાય. અને ઉત્તર ઝોનમાં મેમ્કોથી કુબેરનગર, હિરાવાડી BRTSથી ઠક્કરબાપા નગર, માછલી સર્કલથી આદિશ્વર નગર તરફ, મિની કાંકરિયાથી નરોડા ગામ, સેલ્બી હોસ્પિટલથી નવા નરોડા, સેન્ટ મેરી સ્કૂલથી ભવાની ચોકથી નવા નરોડા, બાપુનગર એપ્રોચથી ચામુંડાનગર સુધીની કામગીરી થઇ. તેમજ દક્ષિણ ઝોનમાં પીપળજ પીરાણા રોડ, પીપળજથી સેજપુર, રોહીતવાસથી સેજપુર, પી.ડી. પંડ્યા કોલેજ રોડ, ગોવિંદવાડી, પુષ્પક બંગ્લોઝ કેનાલ રોડ, ઇસનપુરથી ગીતા મંદિર રોડ, ઇસનપુરથી ઘોડાસર કેનાલ રોડ, હાટકેશ્વર ક્રોસ રોડ અને CTM ક્રોસ રોડ સુધીના વિસ્તારોને કામગીરી હેઠળ આવરી લેવાયા હતા. 

આ પણ વાંચો: જુનાગઢ: મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ગેરવર્તન બદલ કીર્તિ પટેલ વિરૂદ્ધ FIR, ભવનાથ પોલીસે તપાસ શરૂ કરી

દબાણ થશે તો કડક કાર્યવાહીની સૂચના

AMC દ્વારા શહેરના તમામ મિલકત માલિકો, દુકાનદારો અને વાહનચાલકોને જાહેર માર્ગો અને હાઈવે પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા સૂચના આપવામાં આવી છે. નિયમભંગ સામે આવી જ કડક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.