અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટનાની રુંવાડા ઊભા કરી દેતી તસવીરો, જ્યાં જુઓ ત્યાં કાટમાળ અને મૃતદેહો
Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થતાં બે પાયલોટ અને 200થી મુસાફરો અને સ્થાનિકોના મોત થયા છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.
પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક વિમાન દુર્ઘટના બાદ જ્યાં જુઓ ત્યાં કાટમાળ અને મૃતદેહો જોવા મળી રહ્યા છે. આ તસવીરો તમારા રૂંવાડા ઊભા કરી દેશે...
જુઓ તસવીરો....









