અમદાવાદમાં દર વર્ષે લેન્ડ ગ્રેબિંગની 700 જેટલી ફરિયાદ, 60% દફ્તરે! 5 વર્ષમાં 183 કેસમાં જ FIR
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI IMAGE |
Ahmedabad News: અમદાવાદમાં જમીન પચાવી પાડવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, પરંતુ ચોંકાવનારી વિગત એ છે કે કલેક્ટર કચેરીમાં આવતી ફરિયાદોમાંથી અડધાથી વધુ કેસ દફતરે (Close) કરી દેવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો લેન્ડ ગ્રેબિંગની 3816 ફરિયાદો સામે માત્ર 183 કેસમાં જ એફઆઈઆર (FIR) નોંધાઈ છે.
આંકડાકીય વિગત અંગે વાત કરીએ તો વાર્ષિક સરેરાશ 700 જેટલી ફરિયાદો નોંધાઇ છે. જે પૈકી 2313 અંદાજે 60% જેટલા કેસ દફતરે થયેલા છે. FIR નોંધાયા હોય તેવા કેસ માત્ર 183 જ છે. છેતરપિંડીના કિસ્સા 250 થી 300 ફરિયાદમાં બોગસ સહી કરીને જમીન પચાવવાનો ખેલ જોવા મળ્યો છે.
આ પણ વાંચો: છેલ્લી ઓવરમાં 11 રન ના કરી શકતા GT સતત બીજી મેચ હારી, RRના તુષાર દેશપાંડેએ રંગ રાખ્યો
ભૂમાફિયાઓનો આતંક અને કૌટુંબિક વિખવાદ
રિપોર્ટ મુજબ, 25% કિસ્સાઓમાં વગદાર ભૂમાફિયાઓ સામાન્ય માણસોની જમીન બળજબરીથી હડપી લે છે. બાકીના કિસ્સાઓમાં વારસાઈ મિલકતમાં હક જમાવવો, ભાડુઆત દ્વારા કબજો ન છોડવો કે બંધ મકાન પર પાડોશીઓએ કરેલા અતિક્રમણ જેવી ફરિયાદો વધુ જોવા મળે છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદ, દસક્રોઈ અને સાણંદ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતતાના અભાવે આવા કેસોનું પ્રમાણ વધુ છે.
જટિલ પ્રક્રિયા કે સિસ્ટમની મર્યાદા?
લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ પોલીસ અને પ્રાંત અધિકારી એમ બે સ્તરે તપાસ થાય છે. જો આ બંને રિપોર્ટ હકારાત્મક હોય તો જ આગળની કાયદેસરની કાર્યવાહી થાય છે. ઘણીવાર પુરાવાના અભાવે અથવા ટેકનિકલ કારણોસર ફરિયાદો નામંજૂર કરવામાં આવે છે, જેના કારણે ભોગ બનનારને ન્યાય મળતા લાંબો સમય લાગે છે.








