Get The App

અમદાવાદના જમાલપુરમાં વાસ્તુ પ્રસંગે ગાજરનો હલવો ખાધા પછી 34 લોકોને ફૂડ પોઈઝનિંગ

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
Ahmedabad Jamalpur Food Poisoning
(AI IMAGE)

Ahmedabad Jamalpur Food Poisoning: અમદાવાદના જમાલપુર વિસ્તારમાં શુક્રવારે નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ નિમિત્તે ધાર્મિક વિધિ પછી ભોજન સમારંભ યોજાયો હતો. જેમાં 34 લોકોને ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી. અન્ય ચીજોની સાથે ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો. જમણવાર પુરો થયા પછી હાજર એવા લોકોએ પેટમાં દુખાવો, ઉલટી થવી અને ગભરામણ જેવી ફરિયાદ કરતા પાંચ પીપળી ખાતે આવેલી હોસ્પિટલ તથા કોર્પોરેશન સંચાલિત ચેપી રોગની હોસ્પિટલમા સારવાર આપવામાં આવી હતી.

જમાલપુરના છીપાવાડમાં ધાર્મિક પ્રસંગ બાદ ફૂડ પોઇઝનિંગ

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડની ગફુરજી ચાલી ખાતે શુક્રવારે ધાર્મિક વિધિ પછી ભોજન સમારંભનુ આયોજન કરાયુ હતુ. જે સમયે ફુડ પોઈઝનીંગની અસર પામેલાઓ પૈકી 15થી વધુ લોકોને પાંચપીપળી ખાતે આવેલી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

આ પણ વાંચો: AIને કારણે કમ્યુટર RAMની જરૂરિયાત વધી, ગુજરાતના બજારમાં ભાવ 200 ગણો વધ્યો

કોર્પોરેશન દ્વારા ફૂડ સેમ્પલ એકત્ર કરાયા

ચેપીરોગની હોસ્પિટલ ખાતે પણ 11 લોકોને સારવાર અપાઈ હતી. જયારે અન્ય લોકોએ તેમના ઘરે જ સારવાર લીધી હતી. કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોકટર ચિરાગ શાહે કહયુ ,હાલ એક દર્દી સારવાર હેઠળ છે. હેલ્થ વિભાગ તરફથી ગાજરના હલવા ઉપરાંત નોનવેજ અને ખારી પુરીના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે.

અમદાવાદના જમાલપુરમાં વાસ્તુ પ્રસંગે ગાજરનો હલવો ખાધા પછી 34 લોકોને ફૂડ પોઈઝનિંગ 2 - image