અમદાવાદમાં રોગચાળો ફેલાયાની આશંકા, સિવિલમાં રોજના 1700થી વધુ દર્દી, OPD કેસ 10% વધ્યાં
Ahmedabad Disease Outbreak Civil OPD: અમદાવાદમાં રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. સોલા સિવિલ ખાતે છેલ્લા એક સપ્તાહમાં ઓપીડીમાં 10 ટકાનો વધારો થયો છે. હાલ દરરોજ સરેરાશ 1736 દર્દી સારવાર માટે આવી રહ્યા છે.
19 થી 25 મે દરમિયાન ઓપીડીમાં 12153 દર્દી નોંધાયા
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સોલા સિવિલમાં 19 થી 25 મે દરમિયાન ઓપીડીમાં 12153 દર્દી નોંધાયા હતા. જેની સરખામણીએ 5 થી 11 મે દરમિયાન 9321, 12 થી 18 મે દરમિયાન 11150 દર્દી ઓપીડીમાં સારવાર માટે આવ્યા હતા. બીજી તરફ વિતેલા સપ્તાહમાં 1107 દર્દીને દાખલ કરાયા છે.
આ પણ વાંચો: ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન, 400થી વધુ કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવાયું
હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓ 5 થી 11 મેમાં 924, 12 થી 18 મેમાં 1021 દર્દીઓ હતા. 19 થી 25 મે દરમિયાન ડેન્ગ્યુના 90 શંકાસ્પદમાંથી 2 પોઝિટિવ, મેલેરિયાના 331 શંકાસ્પદમાંથી 2 પોઝિટિવ હતા. આ સિવાય ડાયેરિયાના 25, બેક્ટેરિયલ ડાયનેસ્ટ્રીના 27, વાયરલ હિપેટાઇટિસ એના 3, ટાઈફોઈડના 4 કેસ નોંધાયા હતા.